Gujarati News

Gujarati News

News of Thursday, 16th August 2018

વાજપેયજીએ મને ફોન કરીને કહ્યુ હતું કે મે જે કર્યુ તે બરાબર કર્યુ :શંકરસિંહ વાઘેલા

 

અટલ બિહારી વાજપેયીના નિધનના સમાચારથી દેશ શોકમાં છે, ત્યારે ગુજરાત ભાજપના અને બાદમાં ભાજપમાંથી છુટ્ટા પડેલા નેતાઓએ અટલજીને યાદ કર્યા હતા. અટલજીને યાદ કરતી વખતે તેઓ ભાવુક થયા હતા. 

   ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ વાજપેયજી પોતાના સંસ્મરણોને વાગોળતા અનેક વાતો કરી હતી. જેમાં 1991ની લોકસભાની ચૂંટણી વખતે વાજપેયીજીની સેઇફ સીટ માટેની ચર્ચાની સાથે ખજૂરાહો અંગે પણ વાત કરી હતી.

  જેમાં શંકરસિંહે કહ્યું કે મે જે કર્યુ તે બાદ વાજપેયજીએ  મને ફોન કરીને કહ્યુ હતું કે મે જે કર્યુ તે બરાબર કર્યુ તેઓ પણ આવું કરવા ઇચ્છતા હતા. જે બાદ તેઓએ મને બોલાવીને મારી માંગો પુરી કરવા કહ્યુ હતું.

(10:57 pm IST)