Gujarati News

Gujarati News

News of Thursday, 16th August 2018

યાત્રાધામ અંબાજીમાં દિવસભરના ઉકળાટ બાદ વરસાદના ઝાપટા

ખેડૂતોમાં ખુશીનો માહોલ :શહેરીજનોને ગરમીમાં રાહત :

રાજયમાં વરસાદની કાગડોળે રાહ જોવાઇ રહી છે ત્યારે પવિત્ર યાત્રાધામ અંબાજીમા દિવસભરના ભારે ઉકળાટ બાદ વરસાદનું આગમન થતા શહેરીજનોને રાહત અનુભવી હતી કાળા ઘનઘોર આકાશમાથી જળવર્ષા થતા સૌ પ્રજાજનો સાથે દરેક જીવ માત્રના જીવમા જાણે જીવ આવી ગયો હતો વરસાદ આવતા સૌ આનંદની લાગણીમા ભીના થઇ ગયા હતા ખેડૂતોનીતો ખુશીનો જાણે પાર ન હતો કેમકે વાવણી લાયક વરસાદનું આગમન થયુ હતું.

(8:24 pm IST)