Gujarati News

Gujarati News

News of Thursday, 16th August 2018

૨૫ ઓગષ્‍ટથી હાર્દિકના આમરણાંત ઉપવાસ

મધ્‍યપ્રદેશ,મહારાષ્‍ટ્ર,બિહાર,રાજસ્‍થાન અને ઉત્તરપ્રદેશથી લોકો જોડાશેઃ રૂપરેખા તૈયાર

અમદાવાદઃ આગામી ૨૫ ઓગસ્‍ટથી પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલ ઉપવાસ આંદોલન શરૂ કરવા જઇ રહ્યો છે. ત્‍યારે હાર્દિક પટેલના ઉપવાસની રૂપરેખા સામે આવી છે. પ્રથમ દિવસે સમગ્ર ગુજરાતના પાટીદારો અને ખેડૂત આગેવાનો ઉપસ્‍થિત રહેશે. રાજ્‍યના ૩૩ જિલ્લાઓમાંથી આગેવાનો અને સમર્થકો પણ હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનમાં સામેલ થશે. મધ્‍યપ્રદેશ, મહારાષ્‍ટ્ર,બિહાર,રાજસ્‍થાન અને ઉત્તરપ્રદેશથી પણ લોકો હાર્દિક પટેલના અમરણાંત ઉપવાસ આંદોલનમાં સામેલ થશે

 

(8:11 pm IST)