Gujarati News

Gujarati News

News of Thursday, 16th August 2018

યાત્રાધામ અંબાજીના ગબ્બરની તળેટીમાં અજાણી મહિલાનો મૃતદેહ મળ્યો

-દુર્ગંધ આવતી હોય મૃતદેહ બે -ત્રણ દિવસ અગાઉનો હોવાની આશંકા

યાત્રાધામ અંબાજીના ગબ્બરની તળેટીમાંથી અજાણી મહિલાનો મૃતદેહ મળ્યો હતો.અંબાજી પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. બેત્રણ દિવસ અગાઉનો મૃતદેહ હોવાથી દુર્ગંધ આવતી હોવાની આશંકા છે મૃતકની ઊંમર અંદાજે 40 – 45 વર્ષ હોવાનું અનુમાન છે

  પ્રખ્યાત ધાર્મિક સ્થળ પર જો આ મહિલાની 3 દિવસ અગાઉ મોત થઈ હોય અથવા 3 દિવસ અગાઉ તેનો મૃતદેહ સળતો હોય તો પોલીસના ધ્યાનમાં કેમ ન આવ્યું. આ અંગે લોકોમાં ચકચાર જાગી છે અંબાજીએ 24 કલાક ભીડભાડ વાળો વિસ્તાર છે. અને અહીંયાં શ્રદ્ધાળુઓ સતત આવન જાવન કરતા હોય છે. ત્યારે આ પ્રકારની ઘટના પોલીસની કામગીરી પર સવાલ કરે છે.

(10:27 pm IST)