Gujarati News

Gujarati News

News of Friday, 16th July 2021

ગાંધીનગર ખાતે આવતીકાલે મુખ્યમંત્રીશ્રી રૂપાણીના હસ્તે NCC કેડેટ્સ દ્વારા “કારગીલ કે વીરો કો ગુજરાત કા આભાર” અંતર્ગત તૈયાર કરાયેલ ૨૫ હજાર કાર્ડને ફ્લેગ ઑફ અપાશે

ગાંધીનગર :  મુખ્યમંત્રી રૂપાણીના હસ્તે NCC કેડેટ્સ દ્વારા “કારગીલ કે વીરો કો ગુજરાત કા આભાર” – “એક મેં સૌ કે લિએ”ના પાંચમા તબક્કાના અભિયાન અંતર્ગત તૈયાર કરાયેલ ૨૫ હજાર કાર્ડને આવતીકાલે તા. ૧૭ જુલાઈના રોજ સવારે ૧૦:૩૦ કલાકે મુખ્યમંત્રી નિવાસસ્થાને આયોજિત કાર્યક્રમમાં ફ્લેગ ઓફ અપાશે.
આ પ્રસંગે ગાંધીનગર ખાતે સાંસદ ડો. કિરીટ સોલંકી સહિત NCCના અધિકારીઓ અને કેડેટ્સ ઉપસ્થિત રહેશે

   
(8:06 pm IST)