Gujarati News

Gujarati News

News of Thursday, 16th July 2020

રાજ્યમાં શાળા ચાલુ નહીં કરવા સૂચન : શિક્ષણવિદોએ ઉતાવળ નહીં કરવા અભિપ્રાય આપ્યો

ભુપેંદ્રસિંહ સાથે ભદ્રાયુ વછરાજાની, વિધ્યુત જોશી, અરુણભાઈ દવે, ગીજુભાઈ ભરાડ અને શિક્ષણ સચિવ વિનોદ રાવ પણ જોડાયા

અમદાવાદ : રાજ્યમાં શાળા ચાલુ નહીં કરવા સૂચન આવ્યું છે શિક્ષણવિદોએ શાળાઓ ચાલુ કરવાની ઉતાવળ ન કરવા સરકારને અભિપ્રાય આપ્યો છે અને જરૂર પડે અભ્યાસક્રમમાં ઘટાડો કરવા સૂચન કરાયું છે

શાળાઓ ચાલુ કર્યા બાદ પણ દર અઠવાડિયે વિદ્યાર્થીઓનું ફરજીયાત મેડીકલ ચેક અપ કરાવવું જોઈએ
શિક્ષણ મંત્રી ભુપેંદ્રસિંહ ચુડાસમાએ રાજ્યના શિક્ષણવિદ્દો જોડે વિડિયો કોંફરન્સથી વાર્તાલાપ કર્યો હતો જેમાં  ભુપેંદ્રસિંહ સાથે ભદ્રાયુ વછરાજાની, વિધ્યુત જોશી, અરુણભાઈ દવે, ગીજુભાઈ ભરાડ અને શિક્ષણ સચિવ વિનોદ રાવ પણ જોડાયાહતા 

(12:28 am IST)