Gujarati News

Gujarati News

News of Thursday, 16th July 2020

નર્મદા : નાંદોદ ના ગોપાલપુરા ગામના પ્રવેશ દ્વાર પર કોરોના બાબતેની સાવચેતી માટે બોર્ડ લગાવાયા

જો માસ્ક વગર ગામમાં પ્રવેશ કરવામાં આવશે તો રૂ.200 દંડ ને પાત્ર રહેશે.”તેવો ઠરાવ

(ભરત શાહ દ્વારા)  રાજપીપળા : હાલમાં ચાલતી કોરોનાની મહામારીને કારણે નર્મદા જિલ્લામાં કેસ વધી રહ્યા છે.લોકડાઉન ન હોવાના કારણે કામ વગર લોકો આવન-જાવન કરી રહ્યા છે અને બહાર ના ફેરિયાઓ તેમજ કામ વિનાના લોકો ગામમાં માસ્ક વગર પ્રવેશ કરી રહ્યા હોઈ ગોપાલપુરા ગામના સરપંચ તેમજ તેમની ટીમ ને આ બાબત ધ્યાને આવતા ગામના મુખ્ય દ્વાર તેમજ અન્ય જગ્યાએ ચેતવણી રૂપે "માસ્ક વગર ગામમાં પ્રવેશ કરવો નહિ,જો માસ્ક વગર ગામમાં પ્રવેશ કરવામાં આવશે તો રૂ.200/- દંડ ને પાત્ર રહેશે.”તેવો ઠરાવ કરી બોર્ડ મારવામાં આવ્યા છે.ત્યારે આ ગામ માટે ભરાયેલું આ પગલું ગ્રામજનોના સ્વાસ્થ્ય માટે રક્ષા કવચ જેવું કહી શકાય.

(11:38 pm IST)