Gujarati News

Gujarati News

News of Tuesday, 16th July 2019

નડિયાદ-ડાકોર રોડ પર બિલ્ડરે વેચેલ મકાન બીજાને આપી દઈ 6.35 લાખની ઠગાઈ આચરનાર વિરુદ્ધ ગુનો દાખલ

નડિયાદ:નડિયાદ-ડાકોર રોડ પર આવેલ સાઈધામ સોસાયટીનું મકાન કે જે મુળ નડિયાદના અને હાલમાં મુંબઈ રહેતાં ઈસમને વેચવાનું નક્કી કરી તેમની પાસેથી મકાનના પુરેપુરા નાણાં લીધા બાદ આ મકાન બલ્ડિરે બીજા કોઈને વેચાણ બાનાખત કરી ઠગાઈ કરતાં નડિયાદ ટાઉન પોલીસમાં બલ્ડિર વિરૂધ્ધ ફરિયાદ નોંધાઈ છે. 

મળતી માહિતી મુજબ નડિયાદમાં અમદાવાદી બજાર વસ્તિારમાં આવેલ હરીજનવાસમાં રહેતાં નરોત્તમભાઈ ગોપાલભાઈ સોલંકી મુંબઈમાં બેંકમાં સફાઈ કર્મચારી તરીકે ફરજ બજાવતાં હોઈ તેઓ પરિવાર સાથે મુંબઈ સ્થાયી થયાં હતાં. ૨૦૦૬ માં નિવૃત્ત થતાં તેઓ નડિયાદમાં આવ્યાં હતાં. તે વખતે તેમને એવી માહિતી મળી હતી કે નડિયાદ-ડાકોર રોડ પર વાલ્મીકી સમાજના લોકો માટે પ્લોટ મકાન બનાવી પાર્થ કન્સ્ટ્રક્શનના બલ્ડિર તરૂણભાઈ નીરૂભાઈ બારોટ વેચાણ કરી રહ્યાં છે. જેથી તેમણે આ સ્થળની મુલાકાત લીધી હતી. ત્યાં સાંઈધામ સોસાયટી બનતી હોઈ તેમણે તરૂણભાઈ બારોટ સાથે પ્લોટ નં બી/૨૫ અને બી/૨૬ લેવા તૈયારી બતાવી હતી અને બલ્ડિરને જણાવ્યું હતું કે મકાન બની જાય એટલે મને કહેજો. કહી મકાન બનાવવાના નાણાં ચુકવી તેઓ પરત મુંબઈ ચાલી ગયાં હતાં. 

(5:45 pm IST)