Gujarati News

Gujarati News

News of Tuesday, 16th July 2019

સુરત: સગરામપુરામાં આવેલ મંદિરની બહાર પાર્ક કરેલ પુજારીની કારમાંથી તસ્કરોએ 64 હજારની મતાની ઉઠાંતરી કરી

સુરત:સગરામપુરા ખાતે આવેલા શહેરના જાણીતા ક્ષેત્રપાળ મંદિરની બહાર પાર્ક કરેલી પૂજારીની ઇનોવા કારના કાચ તોડી ગઠિયાઓ મ્યુઝિક સિસ્ટમ અને સોનાના દાગીના મળી કુલ રૂ. ૬૪ હજારની મત્તા ગઠિયાઓ ચોરી ગયા હતા.

શહેરના જાણીતા ક્ષેત્રપાળ મંદિરના પૂજારીની કારને ગઠિયાઓએ નિશાન બનાવી છે. પૂજારીની ઇનોવા કાર નંબર જીજે- ૫ જેકે- ૭૨૭૨ મંદિરની બહાર પાર્ક કરેલી હતી. તે દરમ્યાન રાત્રિના સમયે ગઠિયાઓએ કારનો કાચ તોડી તેમાં થી મ્યુઝિક સિસ્ટમ ઉપરાંત સોનાની બે તોલાની રૂદ્રાક્ષની માળારોકડા રૂ. ૭ હજાર મળી કુલ રૂ. ૬૪ હજારની મત્તા ચોરીને ભાગી ગયા હતા.

(5:43 pm IST)