Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

પાંચ સ્ટેટ હાઈવેને બંધ રાખવાની ફરજ પડી...

મૃતાંક ૨૬, સેંકડો પશુના મોત : તલાલાથી આવી રહેલી ટ્રેન એકાએક બંધ

અમદાવાદ, તા.૧૬ : ભારે વરસાદ સંબંધિત બનાવોમાં ગુજરાતમાં મોતનો આંકડો વધીને ૨૬ ઉપર પહોંચી ગયો છે. આ ઉપરાંત ૧૨૫થી વધુ પશુઓના મોત પણ થઈ ચુક્યા છે. વરસાદના પરિણામ સ્વરૂપે રાજ્યના પાંચ સ્ટેટ હાઈવે સહિત ૧૩૦થી વધુ રસ્તાઓ બંધ રાખવામાં આવ્યા છે. ભારે વરસાદના પરિણામ સ્વરૂપે સેંકડો પશુધનના મોતની સાથે સાથે ૪૦થી વધુ ગામો સંપર્કવિહોણા બન્યા છે. તાલાલાથી દેલવાડા આવતી ટ્રેન બંધ પડી જતા એનડીઆરએફની ટીમ અને ગામલોકોએ રેસ્ક્યુ કરી મુસાફરોને બચાવ્યા હતા. તેમજ અનેક જગ્યાએ રેલવે ટ્રેકનું ધોવાણ થતા રેલવે સેવા ખોરવાઇ હતી.

(8:32 pm IST)