Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

પાલનપુરના કરજોડામાં રેલવે ટ્રેક પરથી યુવક-સગીરાની લાશ મળી આવતા અરેરાટી

પાલનપુર: તાલુકાના કરજોડા ગામે રેલવેલાઈન ઉપર પરોઢીયે યુવક-સગીરાની લાશ મળી આવી હતી. રેલવે પોલીસે આ લાશની ઓળખ કરતા આ બંને કરજોડા ગામના હોવાનું બહાર આવ્યું હતું. પ્રથમ દ્રષ્ટિએ આ મોત પાછળ પ્રેમ પ્રકરણ હોવાનું પોલીસ માની રહી છે.
 કરજોડા રેલવે લાઇન પાસે સવારે ૫ વાગ્યા આસપાસ કોઈ અજાણી ટ્રેનની અડફેટથી યુવક-યુવતીની લાશ પડી હોવાનું રેલવે માસ્તરને જાણ થતા તેમણે પોલીસને જાણ કરતાં પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી ત્યારે લાશ પાસે પોલીસને એક મોબાઈલ મળી આવતા તેના નંબરના આધારે તપાસ કરતાં   આ બંને કરજોડા ગામના હોવાનું જાણવા મળ્યું હતું.
જેમાં યુવક કડિયા કામ કરતો વિક્રમભાઈ હીરજીભાઈ માજીરાણા, (ઉ. ૧૯) અને સગીરા ધો. ૧૧ માં અભ્યાસ કરતી હતી બંને એક જ ગામમાં રહેતા હોવાનું પોલીસે જણાવ્યું હતું પ્રથમ દ્રષ્ટિએ આ મોતની પાછળ પ્રેમ પ્રકરણ હોવાનું મનાઈ રહ્યું છે. પોલીસે લાશનો કબજો લઈ સિવિલમાં પી.એમ. માટે લવાઇ હતી.  સિવિલમાં પી.એમ. કરાવ્યા બાદ આ લાશ વાલી વારસોને સુપરત કરી હતી. પોલીસે અકસ્માતનો  ગુનો નોંધી વધુ તપાસ પી.એસ.આઈ. પી.એસ. ગોસ્વામી ચલાવી રહ્યા છે. આ બંનેના અચાનક મોતથી તેમના પરિવાર અને ગ્રામજનોમાં ભારે શોકની લાગણી જોવા મળી હતી.

(6:10 pm IST)