Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

વડોદરા નજીક અનગઢમાં ટ્રક-કાર વચ્ચે સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં એકનું મોત

વડોદરા:નજીક આવેલા અનગઢ ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સામે ગત મોડી સાંજે બે બાઇક સામ સામે અથડાઇ હતી આ અકસ્માતમાં એક બાઇક ચાલક યુવકનું ટુંકી સારવાર બાદ મોત થયુ હતું. જ્યારે બીજા બનાવમાં ગોધરા દાહોદ રોડ પર ટ્રક અને કાર વચ્ચે અકસ્માતમાં કારમાં બેઠેલા મધ્ય પ્રદેશન યુવકનું મોત થયુ હતું.

અનગઢ ગામે રણજીતસિંહના ભાગમાં રહેતો નટુ ડાહ્યાભાઇ ગોહિલ (ઉ.૩૮) કાલે સાંજે વડોદરાથી નોકરી પતાવીને બાઇક પર અનગઢ પરત આવી રહ્યો હતો. નટુ અનગઢમાં પહોંચી ગયો  હતો અને ઘરથી માંડ ૫૦૦ મીટર દૂર હતો ત્યારે અનગઢમાં નવા બનેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સામે સાંજે ૭ થી ૭.૩૦ વાગ્યાના અરસામાં તે બાઇક લઇને પસાર થતો હતો ત્યારે સામેથી તિવ્ર ગતીથી ધસી આવેલી બાઇક તેની સાથે અથડાઇ હતી. આ અકસ્માતમાં નટુને ગંભીર ઇજાઓ થતાં તેને વડોદરા ખાતે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું હતું.

બીજા બનાવમાં મધ્ય પ્રદેશના ઉજૈનના નાગદા ખાતે રહેતો ૩૬ વર્ષનો યુવક શૈલેન્દ્ર માનસિંગ શર્મા સંબંધી સાથે કારમાં ગોધરા-દાહોદ રોડ પરથી ગત રાત્રે એક વાગ્યે પસાર થઇ રહ્યો હતો ત્યારે તેની કારને ટ્રકે ટક્કર મારી હતી આ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા શૈલેન્દ્રનું મોત થયુ હતું.

(5:58 pm IST)