Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

બોરસદના ભાદરણમાં વીજ કરંટ લાગતા શ્રમજીવીએ ઘટનાસ્થળેજ દમ તોડ્યો

બોરસદ:તાલુકાના ભાદરણ ગામે આવેલા એક ફાર્મહાઉસ પાસે કડીયાકામની મજુરી કરતા એક શ્રમજીવીને વીજ કરંટ લાગતાં તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતુ. આ અંગે ભાદરણ પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી છે. 
મળતી વિગતો અનુસાર મુળ દાહોદ જીલ્લાના આંબા ગામે રહેતો અલ્કેશભાઈ કનુબાઈ બારીયા (ઉ. વ. ૨૨)પોતાના કાકા તેમજ પરિવાર સાથે ભાદરણ નજીક આવેલા એક ફાર્મ હાઉસમાં ચાલતા બાંધકામમાં કડીયા કામ કરે છે. આજે સાંજના સાડા ચારેક વાગ્યાના સુમારે મજુરી કામ કરીને નજીકમાં આવેલા તારની વાડ પકડીને ઉભો થવા જતો હતો ત્યારે વાડમાં ઉતરેલો વીજ કરંટ તેને લાગતા ઘટનાસ્થળે જ મોતને ભેટ્યો હતો. ઘટનાનીજાણ ભાદરણ પોલીસને થતાં જ પોલીસ તુરંત જ ઘટનાસ્થળે ઘસી ગઈ હતી અને લાશનો કબજો લઈને પીએમ માટે સરકારી હોસ્પીટલ ખાતે મોકલી આપી હતી. 

(5:51 pm IST)