Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

ઠાસરા તાલુકાના કોટલીડોરા ગામે નજીવી બાબતે ઝઘડો થતા બે પરિવાર બાખડ્યા

ઠાસરા: તાલુકાના કોટલીંડોરા ગામે ચાવડા પરિવારો વચ્ચે સહિયારા ઝાડ બાબતે ઝઘડો થયો હતો. આ ઝઘડામાં ચાર ઈસમોએ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાના બનાવ અંગે ડાકોર પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. 
પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ ઠાસરા તાલુકાના કોટલીંડોરામાં ચાવડા પરિવારો રહે છે. જેમાં હાલ ગામડીમાં રહેતા પ્રવિણસિંહ કાળુસિંહ ચાવડા કોટલીંડોરા ગામે વડીલોપાર્જીત જમીન-ખેતરમાં સહિયારા ઝાડ આવેલ છે. આ ઝાડ અર્જુનસિંહ પ્રતાપસિંહ ચાવડા કાપતા હોઈ પ્રવિણસિંહ ચાવડાએ સહિયારા ઝાડ ન કાપવા જણાવતા અર્જુનસિંહે ઉશ્કેરાઈ જઈ ગમેતેમ ગંદી ગાળો બોલવા લાગ્યો હતો અને ધારિયું લઈ આવી મારવા જતા પ્રવિણસિંહે હાથ ઊંચો કરી દેતા ધારિયાનો હાથો માથામાં તેમજ ડાબા પગમાં મારી દેતા ઈજા થઈ હતી. જ્યારે પ્રતાપસિંહ કાળુસિંહ ચાવડાએ લાકડાનું ઝૂડીયું મારી ઈજા કરી હતી. આ ઝઘડામાં જયાબેન અર્જુનસિંહ ચાવડા તથા શનુબેન પ્રતાપસિંહ ચાવડાએ ઉપરાણું લઈ પ્રવિણસિંહ કાળુસિંહ ચાવડાને ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. 
આ બનાવ અંગે પ્રવિણસિંહ કાળુસિંહ ચાવડાની ફરિયાદ આધારે ડાકોર પોલીસે અર્જુનસિંહ પ્રતાપસિંહ ચાવડા, પ્રતાપસિંહ કાળુસિંહ, જયાબેન અર્જુનસિંહ તેમજ શનુબેન પ્રતાપસિંહ ચાવડા સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

(5:46 pm IST)