Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

ભરૂચ અંકલેશ્વરમાં પાંચ ઇંચ

નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા : શાળામાં રજા : જનજીવન પ્રભાવીત

રાજકોટ તા. ૧૬ : ગઇકાલ રાતથી સવારે મધ્ય ગુજરાતના અંકલેશ્વર અને ભરૂચમાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવીત થયું છે.વડોદરા સહિત મધ્ય ગુજરાતમાં સતત વરસાદ વરસી રહ્યો છે. ભરૂચ અને અંકલેશ્વરમાં વરસાદને કારણે જનજીવન પર અસર પડી છે. ભરૂચ જિલ્લામાં ભારે વરસાદને કારણે શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. વડોદરા શહેર સહિત મધ્ય ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. દાહોદ, ભરૂચ, અંકલેશ્વર સહિતના પંથકમાં સતત વરસાદ વરસી રહ્યો છે. જેને કારણે જગતનો તાત ખુશખુશાલ છે. પરંતુ સતત વરસી રહેલા વરસાદને કારણે જનજીવન પર અસર પહોંચી છે. ભરૂચ અને અંકલેશ્વરમાં વરસાદને કારણે સરકારી શાળાઓમાં આજે રજા જાહેર કરી દેવામાં આવી હતી. તો ઘણી પ્રાઇવેટ સ્કૂલોએ પણ ભારે વરસાદને કારણે રજા જાહેર કરી હતી.

(3:53 pm IST)