Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

રાજ્યમાં વરસાદના કારણે મૃત્યુઆંક 26 થયો : 110 જેટલા પશુઓના પણ મોત

નદી નાળા, ચેકડેમ અને ડેમ છલકાયા : NDRFની ટીમ લોકોનું સ્થળાંતર કરાવી રહી છે

અમદાવાદ :રાજ્યમાં વરસાદના કારણે મૃત્યુઆંક 26 પર પહોંચી ગયો છે.અને  110 જેટલા પશુઓના પણ મોત થયા છે. સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને પગલે તંત્ર એલર્ટ થઈ ગયું છે. રાજ્યમાં NDRFની ટીમ તૈનાત કરી દેવામાં આવી છે. જે વિસ્તારોમાં નદી નાળાં છલકાઈ ગયા છે, તે તરફ નીચાણવાળા વિસ્તારમાં એલર્ટ જાહેર કરી NDRFની ટીમ લોકોનું સ્થળાંતર કરાવી રહી છે. હજુ પણ 5 દિવસ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે. 18 જુલાઈના રોજ સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

(1:43 pm IST)