Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

વડોદરામાં ભાજપના પદાધિકારીઓના સત્કાર સમારોહનો વિરોધ : દલિતો કાર્યકરોના દેખાવો : 15 લોકોની અટકાયત

દલિત સમાજનાં કેટલાંક કાર્યકર્તાઓએ સાવરણી અને ગળે કુંલડી લગાવીને તેઓનો વિરોધ કર્યો

વડોદરાઃ શહેરનાં આંબેડકર ભવનમાં રાજકીય કાર્યક્રમોનાં આયોજનને કારણે દલિત સમાજ દ્વારા વિરોધ કરાયો હતો ભાજપનાં પદાધિકારીઓનાં સત્કાર સમારંભમાં દલિત સમાજનાં કાર્યકર્તાઓએ સાવરણી અને ગળે કુંલડી બાંધીને વિરોધ નોંધાવ્યો હતો. જો કે વિરોધ કરી રહેલાં 15 જેટલાં દલિત કાર્યકરોની પોલીસે અટકાયત કરી છે.

 વડોદરામાં ભાજપ દ્વારા રાજકીય કાર્યક્રમ ગોઠવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે ભાજપ દ્વારા શહેરમાં આવેલ આંબેડકર ભવનમાં આ કાર્યક્રમ રાખવાનો વિચાર હતો.ત્યારે આ કાર્યક્રમમાં ભાજપનાં પદાધિકારીઓ એટલે કે આગેવાનોનાં સત્કાર સમારંભમાં દલિત સમાજનાં કેટલાંક કાર્યકર્તાઓએ સાવરણી અને ગળે કુંલડી લગાવીને તેઓનો વિરોધ કર્યો હતો. પરંતુ પોલીસ સુરક્ષા હોવાંથી તેઓએ 15 જેટલાં દલિત કાર્યકરોની અટકાયત કરી છે.

(8:52 pm IST)