News of Wednesday, 16th June 2021
કરજણ : કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ વિવાદમાં આવ્યા છે. કરજણના લીલોડ ગામના રહેવાસી હિતેશભાઇ વાળંદ ચાર પાનાની લાંબી ચિઠ્ઠી લખી અચાનક ગાયબ થઇ ગયા છે.
તેમણે લખેલી ચિઠ્ઠીમાં કરજણના ધારાસભ્ય અને તેમના પુત્ર સહીત 12 વ્યક્તિઓના નામ લખ્યા છે. અને તમામ વ્યક્તિઓ વ્યાજખોર છે. અને તેમણે પરેશાન કરી રહી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ભાજપના ધારાસભ્ય અક્ષય પટેલ અને તેના પુત્ર રૂષિ પટેલ સહિત 12 લોકોના નામ લખીને ત્રણ દીકરીના પિતા એવા હિતેશભાઈ વાળંદ ગુમ થતા સમગ્ર પંથકમાં હાહાકાર મચી ગયો છે. સમગ્ર મામલે પોલીસે ગુમ થયેલા શખ્સની ભાળ મેળવવાના ચક્રો ગતિમાન કર્યા છે.
વાયરલ પત્રમાં હિતેશભાઈએ વ્યાજખોરો દ્વારા હેરાન પરેશાન કરવામાં આવતા હોવાનો ઉલ્લેખ કર્યો છે. તેની સાથે કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ અને તેમના પુત્ર ઋષિ પટેલને મુખ્ય જવાબદાર તરીકે ઠેરવ્યા છે. અને કુલ 12 લોકો સામે ગંભીર આક્ષેપો કરીને તેઓ ગુમ થયા છે. જો કે તેમનું એકટીવા નદી કિનારે મળી આવ્યું છે. પોલીસે આ મામલે ગુમ થયેલા હિતેશભાઇની શોધખોળ હાથ ધરી છે.
હિતેશભાઈએ પત્રમાં લખ્યું હતું કે, હું હિતેશભાઇ જાતે આ પત્ર લખી રહ્યો છું. આજથી મારી જીંદગીમાંથી મુક્ત થવ છું. એનું કારણ છે કે આજે લોકોએ મારી પર ખુબ દબાણ આપે છે. મારો ધંધો છેલ્લા બે મહિનાથી કોરોનાના હિસાબે બંધ છે. એટલે બધાને કીધું કે મારાથી પૈસા હમણાં નહિ બને. પણ કોને ખબર બધા મારા જેવા સીધા માણસને હેરાન કેમ કરવા લાગ્યા. આજે જે લોકોને મેં વ્યાજ આપ્યું ત્યાં સુધી ત્રાસ ના આપ્યો, અને હવે જ્યારે ધંધો બંધ થયો ત્યારે મને ગમે તેમ ત્રાસ આપે છે. હવે મારાથી આ બદનામી સહન નહિ થતા હું મારા જીવનનો ત્યાગ કરું છું. આ લોકોના ત્રાસથી જેના નામ લખું છું. એ બધા જવાબદાર છે.
મુકેશ રણછોડ લીલોડ
કેયુરભાઇ મુકેશભાઇ લીલોડ
પટ્ટુભાઇ અશોકભાઇ લીલોડ
મિલેનભાઇ ભરૂચ -
પ્રેશવાળા - રાજીભાઇ વેમેરડી
રાણપુર સ્નેહલ મિલેનભાઇનો માણસ
આ લોકોના ટોચરથી હું આત્મા હત્યા કરવા મજબુર થયેલો છે. એમાં જે લોકોએ મારી ઇજ્જત બગાડી એ લોકોના નામ પણ આપું છું
1 મોસીનભાઇ રસીદભાઇ લીલોડ
2 ફેજુદીન રસુલભાઇ લીલોડ
3 રફીકભાઇ નકુમ લીલોડ
4 નાગજીભાઇ પટેલ લીલોડ
આ બધુ કામ મને ખબર છો, કોને કરાવ્યુ ખાસ મેન વ્યક્તિ છે
અક્ષય પટેલ લીલોડ
રૂષી પટેલ લીલોડ
આ બંને મેન
હું આજથી નદીમાં કુદકો મારીને આત્મા હત્યા કરૂ છું. જેના જવાબદાર આ બધા જ હશે. કોઇ પણ વ્યક્તિ પાસે બે મહિના કોરોનાના સમયે ધંધો બંધ થઇ જાય તો આજે પાંચ વરસથી આપતા વ્યાજ આજે બે મહિના બંધ થઇ જાય તો આટલું ટોચર કરવાની શી જરૂર છે. આજે મારી ત્રણ છોકરીઓ અને મારી વાઇફને નાદાનીમાં છોડીને મારે જવું પડે એમ છે.
હું સરકારને અરજ કરું છું કે મારા ગયા પછી આ વ્યાજ ખોરોને સખત સજા આપવા વિનંતી. મારી ઇજ્જતના ખાતર આ પગલું ઉઠાવવા મજબુર થયો છું. મારા મરવાનું કારણ આ બધા લોકો છે. આવું કોઇ સીધા વ્યક્તિ જોડે ના થાય તે માટે તમે કડાક પગલા લેવા વિનંતી. જય શ્રી રામ
નર્મદે હર હર નર્મદે
હું પોતે
લિ. હિતેશભાઇ એન વાળંદ