Gujarati News

Gujarati News

News of Wednesday, 16th June 2021

અમદાવાદના આનંદનગરમાં સાધુ જેવા દેખાતા બે સાગરીતોએ વૃદ્ધને ભોળવીને 2 લાખ 80 હજારની કિંમતના દાગીના તફડાવી છૂમંતર.....

અમદાવાદ: શહેરના આનંદનગરમાં પ્રહલાદનગર પાસે કારમાં આવેલા સાધુ જેવા શખ્સ અને તેના બે સાગરીતોએ વૃધ્ધને ભોળવીને તેમના રૃ.૨,૮૦,૦૦૦ની કિંમતના દાગીના તફડાવ્યા હતા. આનંદનગર પોલીસે આ અંગે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.  

બાવળામાં રહેતા નવઘણભાઈ પી.ભરવાડ(૬૨) તેમની માતાની દવા લેવા એક્ટીવા પર પ્રહલાદનગર કોર્પોરેટ રોડ પર ગયા હતા. જ્યાં તેમની બાજુમાં એક કાર આવીને ઉબી રહી હતી. જેમાં દાઢી અને જટાધારી નગ્ન શખ્સ બેઠેલો હતો. તેણે હિન્દીમાં બોપલ જવું છે કહેતા નવઘણભાઈએ તેને બોપલ જવાનો રસ્તો બતાવ્યો હતો. દરમિયાન ડ્રાઈવીંગ સીટ પર બેઠેલા શખ્સે કહ્યું કે અમે કારમાં ત્રણ જણા છીએ ચા પાણીના રૃ.૧૦૦ આપો. આથી તેમણે આ શખ્સોને રૃ.૧૦૦ આપ્યા હતા. જોકે તેમણે નવઘણભાઈને પૈસા પરત આપીને ભવાનભાઈ ભરવાડ મારો ચેલો છે તમારી વીંટી આપો થોડીવારમાં પરત કરૃ છું, એમ કહ્યું હતું. આ શખ્સ સાધુ જેવો લાગતા નવઘણભાઈએ તેને વીંટી આપી હતી. બાદમાં તેણે નવઘાણભાઈની સાત તોલાની સોનાની માળા પણ લીધી હતી. બાદમાં આ શખ્સો સોનાની ચેઈન અને વીંટી મળીને કુલ રૃ.૨,૮૦,૦૦૦ના દાગીના લઈને કારમાં ભાગી ગયા હતા.

(5:56 pm IST)