Gujarati News

Gujarati News

News of Wednesday, 16th June 2021

પાલનપુર : શહીદ જવાનનો પાર્થિવ દેહ વતનમાં લવાયો

લોકોની આંખો ભીની થઇ

પાલનપુર, તા. ૧૫ : વડગામના મેમદપુરના શહીદ જવાનનો પાર્થિવ દેહ તેના માદરે વતન લવાયો હતો. મેમદપુરના જશવંતસિંહ જવાનજી રાઠોડ જમ્મુ કાશ્મીર ખાતે શહીદ થયા હતા. જવાન શહીદ થતાં તેમના પાર્થિવ દેહને વતન લવાયો હતો. જ્યાં મોટા પ્રમાણમાં લોકો ઉમટી પડ્યાં હતા. શહીદ જવાનને શ્રદ્ધાંજલી પણ પાઠવી હતી.

શહીદ જવાનનાં પાર્થિવ દેહને માદરે વતન લાવતા મેમદપુર ગામ તથા તેમના પરિવારમાં શોકની લાગણી પ્રસરી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અને ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમવિધિ કરવામાં આવી હતી. અંગે ગામના અગ્રણીએ જણાવ્યું હતું કે, જસવંતસિંહના પરિવારમાં તેમના પિતા સહિત અન્ય બે ભાઇ પણ આર્મીમાં દેશની રક્ષા કરી રહ્યા છે.

ગામનાં લોકોના જણાવ્યા અનુસાર ગામની તમામ જનતા આજે શોકાતુર છે. જવાનના પાર્થિવ દેહને અતિમ સંસ્કાર કરવાના છે. સમગ્ર ગામમાં આજે શોકમાં ડુબેલું છે. આજે સમગ્ર ગામના લોકોએ બંધ પાળીને વીર શહીદને શ્રદ્ધાંજલી અર્પિત કરી છે. જે પરિવારથી જસવંત સિંહ શહીદ થયા છે. તેમના પિતા પણ આર્મીમાં હતા. જસવંત સિંહ ઉપરાંત તેના અન્ય બે ભાઇઓ પણ ફોજમાં છે.

(9:51 pm IST)