Gujarati News

Gujarati News

News of Sunday, 16th June 2019

રાજ્ય સરકારે ત્રણ વર્ષમાં ખેતપેદાશોની 9700 કરોડની ટેકાના ભાવે ખરીદી કરી : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી

મોરવા હડફ તાલુકાના ખાનપુરથી રાજયવ્યાપી કૃષિ મહોત્સવનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી

અમદાવાદ :મુંખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ચમહાલ જિલ્લાના મોરવા-હડફ તાલુકાના ખાનપુરથી રાજયવ્યાપી ખરીફ કૃષિ મહોત્સવ-2019 નો પ્રારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રીએ કૃષિલક્ષી પ્રદર્શનને ખુલ્લું મુકી પ્રદર્શનના વિવિધ સ્ટોલોની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીએ ભારતીય સંસ્કૃતિનાં પ્રતિક એવી ગૌ-માતાનું પૂજન કર્યું હતું. આ મહોત્સવના ઉદ્ઘઘાટન સમારંભમાં વિજયભાઈ  રૂપાણીએ જણાવ્યું હતું કે સરકારે ખેડૂતોને અનુલક્ષીને શરૂ કરેલી ટેકાના ભાવની ખરીદી અંતર્ગત છેલ્લા ત્રણ વર્ષમાં 9700 કરોડ રૂપિયાની ખરીદી કરી અને ચૂકવણી કરી હતી.

 

   આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ પ્રગતિશીલ ખેડૂતોનું સરદાર પટેલ પુરસ્કાર, બેસ્ટ આત્મા ફાર્મર એવોર્ડ વિજેતા ખેડૂતોનું શાલ, રોકડ પુરસ્કાર પ્રમાણપત્ર આપી સન્માન કરવા સહિત ખેડૂત ખાતેદાર અકસ્માત વીમા યોજના સહિત કુલ 16 લાભાર્થીઓને રૂ. 8.45 લાખના ચેકોનું વિતરણ કર્યું હતું. મુખ્યમંત્રીએ ૧૨૧ જેટલા પ્રગતિશીલ ખેડૂતોની સાફલ્યગાાથા રજૂ કરતા પુસ્તકનું વિમોચન કર્યું હતું. મુંખ્યમંત્રીએ રાજયમાં ગીર અને કાંકરેજ નસલની ગાયોના જતન અને સંવર્ધન માટે સરકાર પ્રતિબધ્ધ છે. તેમ જણાવ્યું હતું.

   તેમણે વધુમાં કહ્યું કે ખેડૂતોને કૃષિ અને પશુપાલનનો વ્યવસાય અપનાવી આર્થિક રીતે પગભર થવાનો અનુરોધ કરી ખેડૂતો અને યુવાનોને આધૂનિક ટેક્નોલોજી અને નવીન ખેત પધ્ધતિઓ દ્ધારા કૃષિ વ્યવસાયમાં જોતરાવવા જણાવ્યું હતું. ખેડૂત અને ખેતી સમૃધ્ધ હશે તો જ ગામડાઓ સમૃધ્ધ બનશે. છેવાડા ખેડૂતોની પણ ખેતી સમૃધ્ધ બને દિશામાં સરકાર આગળ વધી રહી છે.
   ખેડૂત જગતનો તાત કહેવાય છે, પરંતુ આઝાદીના પાંચ દાયકાઓ દરમિયાન ભૂતકાળના શાસકોએ ખેડૂત અને ખેતીની ઉપેક્ષા કરી હતી, જેથી ખેડૂત બાપડો બિચારો અને દેવાદાર બન્યો હતો તેમ જણાવતા રૂપાણીએ ઉમેર્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દ્ધષ્ટિવંત નેતૃત્વમાં કૃષિ અને કૃષિકારોના કલ્યાણ માટે અનેકવિધ યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. જેને પરિણામે ખેડૂતો આર્થિક રીતે સમૃધ્ધ બન્યા છે.
     રૂપાણીએ ઉમેર્યું કે, રાજયમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 28 લાખ ખેડૂતોને રૂ.1100/- કરોડની ઇનપુટ્સ સહાય સીધે સીધી તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવી છે. ખેડૂતોને પાક ઉત્પાદનના પોષણક્ષમ ભાવો મળી રહે તે માટે રાજય સરકારે મગફળી, તુવેર, મગ, અડદ અને બાજરીની ટેકાના ભાવે ખરીદી કરી છેલ્લા ત્રણ વર્ષમાં રૂ.9700/- કરોડની ખેડૂતોને ચૂકવણી કરી છે. તેમ રૂપાણી ઉમેર્યું હતું.
    મુંખ્યમંત્રીએ રાજયમાં સિંચાઇનો વ્યાપ વધારવા નર્મદા-પાનમ-કડાણા-ઉકાઇ અને દાંતીવાડા ડેમનું પાણી ખેડૂતોના ખેતરો સુધી પહોંચાડ્યું છે. મુંખ્યમંત્રીએ ખેડૂતોને ઓછા ખર્ચે વધુ પાક ઉત્પાદન મેળવવા ડ્રીપ ઇરીગેશન અપનાવી વન ડ્રોપ – મોર ક્રોપ નો સંકલ્પ સાકાર કરવા જણાવ્યું હતું

(8:00 pm IST)