Gujarati News

Gujarati News

News of Saturday, 16th June 2018

૬૦૦ કિલોગ્રામ ગાંજાનો જથ્થો કબજે કરી લેવાયોઃભરૂચની નર્મદા ચોકડી પાસે જથ્થો જપ્ત

અમદાવાદ,તા.૧૬ : ભરૂચની નર્મદા ચોકડી પાસે બાતમીના આધારે નાર્કોટીક્સ વિભાગના અધિકારીઓની ટીમે ૬૦૦ કિલો ગાંજાનો જથ્થો જપ્ત કરી લીધો છે.

આ સંદર્ભમાં પાંચની ધરપકડ કરવામાં આવી છે. ઝડપાયેલા લોકોમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે. આ ગાંજો ઓરિસ્સાથી ગુજરાતમાં લાવીને કારોબાર કરવામાં આવી રહ્યો હોવાની વિગત સપાટી ઉપર આવી છે. નાર્ફોટિકસ વિભાગે કહ્યું છે કે ગાંજાની કિંમત આશરે બે કરોડની આસપાસની છે. નાર્કો વિભાગનું કહેવું છે કે ગુરુવારે સાંજે બાતમીના આધારે યુપીના બે વતની ઓડિશા ગાંજો લઈને આવી રહ્યા છે તે બાતમી મળ્યા બાદ તપાસ હાથ ધરવામાં આવી હતી અને ગાંજાનો જથ્થો જપ્ત કરી લેવામાં આવ્યો હતો. નોંધનીય છે કે નાર્કો વિભાગે એક વર્નાકાર, ટ્રક સહિત અન્ય વાહનો કબ્જે કર્યા છે. આ લોકોને ઓડિશાથી આ ગાંજો કોણ સપ્લાય કરતો હતો અને અત્યાર સુધીમાં કેટલાક કરોડનો ગાંજો સપ્લાય થઈ ચૂકયો છે તેની તપાસ હાથ ધરી છે.

(10:18 pm IST)