Gujarati News

Gujarati News

News of Saturday, 16th June 2018

હિંમતનગરના દેઘરોટામાં ગોળીમારી નીલગાયનો શિકાર કરનાર શખ્સ વિરુદ્ધ પોલીસ ફરિયાદ

હિંમતનગર:તાલુકાના દેધરોટા ગામની સીમમાં ગુરૃવારે રાત્રે જોરાપુર ગામના એક ડફેરે ગોળી મારી શિકાર કર્યા બાદ નીલગાયના ટુકડા કરી તેને સગેવગે કરાઈ રહ્યા હતા ત્યારે દેધરોટા ગામના ચાર શખ્સો જોઈ જતા તેઓ રીક્ષા નજીક ધસી જતા તેમને પોલીસ ફરીયાદ ન કરવાનું કહી ધમકી આપી હતી જેથી આ ડફેર તથા અન્ય ત્રણ જણા વિરૃધ્ધ શુક્રવારે હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં જાણ કરાતા પોલીસ અને વનવિભાગે સાથે મળી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.  દેધરોટા ગામના મોહબતસિંહ ગુલાબસિંહ ઝાલાએ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં નોધાવેલી ફરીયાદમાં જણાવ્યા મુજબ ગુરૃવારે રાત્રે તેઓ તથા મદનસિંહ રતનસિંહ ઝાલા, વટુભા કિર્તિસિંહ ઝાલા અને સિધ્ધરાજસિંહ અમરસિંહ ઝાલા કાર નં.જીજે.૦૯.એમ.૫૨૯૫ બેસી સાબરમતિ નદીમાં આવેલી લીઝમાંથી ઘરે આવી રહ્યા હતા ત્યારે ગામની સીમમાં આવેલા પાદર વિસ્તારમાંથી પસાર થતા હતા ત્યારે એક સીએનજી રીક્ષા નજરે પડી હતી જેથી મહોબતસિંહ ઝાલાએ કારમાંથી નીચે ઉતરી રીક્ષા નજીક જતા ત્યા નીલગાય (રોઝ)નો શિકાર કરેલી હાલતમાં ટુકડા જોવા મળ્યા હતા. 
 

(6:10 pm IST)