Gujarati News

Gujarati News

News of Monday, 16th May 2022

રાજપીપળા ખાતે પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વ વિધાલય દ્વારા સડક સુરક્ષા બાબતે બાઈક રેલી યોજાઇ

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : રાજપીપળામાં પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વ વિધાલય દ્વારા સડક સુરક્ષા બાબતે બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું,બાઈક રેલી ભરૂચ થી નિકળી રાજપીપળા આવ્યા બાદ શહેરના મુખ્ય માર્ગો ઉપર ફરી હતી
 આ બાઈક રેલીનું મુખ્ય હેતુ આપણા દેશમાં આઝાદીના અમૃત મહોત્સવ નિમિતે પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વ વિધાલયના ટ્રાન્સપોર્ટ એન્ડ ટ્રાવેલ વિભાગ દ્વારા સામાન્ય નાગરીકોની સડક સુરક્ષા પ્રત્યેની જવાબદારી તથા જાગૃતિ લાવવા તેમજ યુવાનોને ગતિ મર્યાદાના સ્થાયી નિયમ , સુરક્ષા અને આધ્યાત્મિકતા માટે પ્રોત્સાહિત કરવાનો હતો આ રેલીમાં મોટી સંખ્યામાં મોટરસાઇકલ ઉપર બ્રહ્માકુમારીઝ નાં સભ્યો જોડાયા હતા રેલી રાજપીપળાના પ્રવેશ દ્વાર પર પહોંચતા અવધૂત મંદિર અને બ્રહ્માકુમારીઝ ખાતે ગુલાબના ફૂલો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.જેમાં બ્રહ્માકુમારીઝ રાજપીપળાના બહેનો અને જાણીતા વેપારી અગ્રણી પંકજભાઈ શાહ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા,સાથે સાથે આરટીઓ આંસલ, ટ્રાફિક પી.આઇ પરમાર સહિત નર્મદા પોલીસ સ્ટાફ પણ ઉપસ્થિત રહ્યો હતો.

(10:14 pm IST)