Gujarati News

Gujarati News

News of Sunday, 16th May 2021

રાજ્યમાં કોરોનાના નવા 8210 કેસ નોંધાયા : વધુ 14,483 દર્દીઓ સ્વસ્થ થયા : વધુ 82 દર્દીઓના મોત : કુલ મૃત્યુઆંક 9121 થયો : કુલ 6,38,590 લોકોએ કોરોનાને હરાવ્યો : આજે વધુ 29,844 લોકોનું રસીકરણ કરાયું

અમદાવાદમાં 2278 કેસ, વડોદરામાં 882 કેસ, સુરતમાં 705 કેસ, રાજકોટમાં 535 કેસ, જૂનાગઢમાં 407 કેસ, જામનગરમાં 319 કેસ, મહેસાણામાં 174 કેસ, ભાવનગરમાં 269 કેસ , આણંદમાં 223 કેસ, પંચમહાલમાં 195 કેસ, ગાંધીનગરમાં 194 કેસ, સોમનાથમાં 175 કેસ, કચ્છમાં 173 કેસ, સાબરકાંઠામાં 171 કેસ, અમરેલીમાં 167 કેસ, ખેડામાં 165 કેસ, અરવલ્લીમાં 141 કેસ, દાહોદમાં 123 કેસ, બનાસકાંઠામાં 116 કેસ, વલસાડમાં 107 કેસ, ભરૂચમાં 102 કેસ નોંધાયા : હાલમાં 1,04,908 એક્ટિવ કેસ : જિલ્લા અને શહેરોની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ : રાજ્યમાં કોરોનાના નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો થઇ રહ્યો હતો ત્યારે આજે રાજ્યમાં ફરી કોરોનાએ માથું ઉચક્યું છે અને છેલ્લા કેટલાય દિવસો બાદ આજે  છેલ્લા કેટલાક દિવસથી નવા કેસની સંખ્યા ઝડપી ઉછાળો જોવાઈ રહ્યો છે , હવે રાજ્યમાં કોરોનાના નવા કેસ રેકોર્ડબ્રેક 10,000ને પાર પહોંચ્યા છે તેવામાં છેલ્લા કેટલાક દિવસોથી નવા કેસની સંખ્યા 12,000ને વટાવ્યા બાદ રેકોર્ડબ્રેક નવા કેસ નોંધાતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો આજે રાજ્યમાં આજે સતત બીજા દિવસે રાજ્યમાં 10 હજારથી ઓછા કેસ નોંધાતા રાહતની લાગણી અનુભવાઈ છે આજે રાજ્યમાં 8210  નવા કેસ નોંધાયા છે જયારે આજે વધુ 14,483 દર્દીઓ રિકવર થયા છે

 રાજ્યના આરોગ્ય વિભાગની પરિણામલક્ષી કામગીરીને પગલે છેલ્લા ઘણા દિવસોથી  નવા કેસની સંખ્યા સતત ઓછી  થઇ રહી હતી તેવામાં ફરીથી નવા કેસ વધવા લાગ્યા છે સરકારે સાવચેતીના પગલાં રૂપે પાડોશી રાજ્યો મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશનો બોર્ડરે ચેકપોસ્ટ ઉભી કરીને તમામ યાત્રિકોનું સ્ક્રીનિંગ હાથ ધર્યું છે  ઉપરાંત રેલવે સ્ટેશન અને એરપોર્ટ પર પણ સ્ક્રીનિંગ વ્યવસ્થા ઉભી કરાઈ છે

મહારાષ્ટ્રથી આવતા વ્યક્તિઓ માટે કોવીડ 19નો RTPCR  ટેસ્ટ ફરજીયાત કરાયો છે ઉપરાંત ધનવંતરી રથની સેવાઓને વધુ સુદઢ કરવામાં આવી છે અને ધન્વંતરિ રથની સંખ્યા વધારવામાં આવી છે હવે પહેલી એપ્રિલથી મહારાષ્ટ્ર સહીત દેશના અન્ય રાજ્યોમાંથી આવતા તમામ વ્યક્તિઓનું કોવીડ 19નો RTPCR  ટેસ્ટ ફરજીયાત કરાયો છે નેગેટિવ રિપોર્ટ હશે તેને  ગુજરાતમાં પ્રવેશ આપવા નિર્ણય કરાયો છે 

  રાજ્યમાં આજે કોરોનાના નવા 8210 કેસ નોંધાયા છે જયારે વધુ 14,483 દર્દીઓ સ્વસ્થ થયા છે અત્યાર સુધીમાં કુલ 6,38,590 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે આજે રાજ્યમાં આજે કોરોનાથી 82 દર્દીઓના મોત થયા છે ,રાજ્યમાં મૃત્યુઆંક 9121 થયો છે,રાજ્યમાં રિકવરી રેટ 84,85 ટકા થયો છે

     રાજ્યમાં હાલ 1,04,908 એક્ટિવ કેસ છે, જેમાંથી 797 લોકો વેન્ટિલેટર પર અને 1,04,111  લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 6,38,590 ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે 

 રાજ્યમાં કોરોનાની સારવાર માટે કોવીડ હોસ્પિટલોમાં વધુ 12,000થી વધુ બેડનો વધારો કરવામાં આવ્યો છે જેમાં બેડ અને વેન્ટિલેટર તેમજ આઈસીયુનો પણ સમાવેશ થાય છે

    રાજ્યમાં આજે વધુ 29,844 વ્યત્કિઓના રસીકરણ થતા અત્યાર સુધીમાં કુલ 1,47.81,755 વ્યક્તિઓનું રસીકરણ કરાયું છે

   રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 8210 કેસમાં અમદાવાદમાં 2278 કેસ, વડોદરામાં 882 કેસ, સુરતમાં 705 કેસ,રાજકોટમાં 535 કેસ, જૂનાગઢમાં 407 કેસ, જામનગરમાં 319 કેસ, મહેસાણામાં 174 કેસ, ભાવનગરમાં 269 કેસ ,આણંદમાં 223 કેસ, પંચમહાલમાં 195 કેસ, ગાંધીનગરમાં 194 કેસ,  સોમનાથમાં 175 કેસ,કચ્છમાં 173 કેસ,સાબરકાંઠામાં 171 કેસ,અમરેલીમાં 167 કેસ,ખેડામાં 165 કેસ, અરવલ્લીમાં 141 કેસ,દાહોદમાં 123 કેસ, બનાસકાંઠામાં 116 કેસ,વલસાડમાં 107 કેસ, ભરૂચમાં 102 કેસ  નોંધાયા છે

(7:43 pm IST)