Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

વીરપુર તાલુકાના લિમરવાડાની સીમમાં પ્રેમી પંખીડાએ ઝેર ગટગટાવી મોતને વ્હાલું કર્યું

વીરપુર:તાલુકાના લીમરવાડા સીમમાંથી બેભાન હાલતમાં યુવક-યુવતી મળી આવ્યા હતાં. આ બંને યુવક-યુવતીએ ઝેર પી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળેલ છે.

પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ વીરપુર તાલુકાના લીમરવાડા સીમમાંથી આજે બપોરે યુવક-યુવતી બેભાન હાલતમાં મળી આવ્યા હતાં. જેમાં દશરથભાઈ ભાનુભાઈ પરમાર (ઉ.૧૯) તેમજ પાયલબેન જવાનસિંહ પરમાર (ઉ.વ.૨૦ વર્ષ) હોવાનું જણાઈ આવેલ છે. આ બંને યુવક-યુવતી પ્રેમીપંખીડા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ બનાવની જાણ થતા સ્થાનિક લોકો તેમજ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. આ બંને યુવક-યુવતીને વીરપુર સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં.

આ બનાવ અંગે વીરપુર પોલીસે જાણવા જોગ નોંધ દાખલ કરીને તપાસ હાથ ઘરી છે.

(5:37 pm IST)