Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

રાષ્ટ્રવાદ અને વિકાસની જીત થઇ છે : ભાવસાર

કર્ણાટક જીત અંગે સ્પષ્ટ પ્રતિક્રિયા

અમદાવાદ,તા. ૧૫, કર્ણાટક વિધાનસભાની ચૂંટણીના પરિણામ આવ્યા બાદ ભાજપ દ્વારા દેશભરમાં ઉજવણી કરવામાં આવી હતી. પ્રેદશ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી, મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને કાર્યકરોની ઉપસ્થિતિમાં કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને મળેલી જીતની ઉજવણી કરવામાં આવી હતી. ભાજપના પ્રદેશ પ્રવક્તા જગદીશ ભાવસારે મતગણતરી શરૂ થયા બાદ ભાજપની તરફેણમાં માહોલ બનવાની શરૂઆત થયા બાદ પ્રાથમિક પ્રતિક્રિયામાં કહ્યું હતું કે,  દેશના દક્ષિણના પ્રવેશ દ્વાર ગણાતા કર્ણાટકમાં પણ ભાજપનો શાનદાર દેખાવ રહ્યો છે. કર્ણાટકમાં વિકાસ અને રાષ્ટ્રવાદનો શાનદાર વિજય થયો છે. તેમણે ઉમેર્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પાર્ટી પ્રમુખ અમિત શાહ તરફથી તૈયાર કરવામાં આવેલી રચનાત્મક અને લોકલક્ષી યોજનાઓ તથા રણનીતિના પરિણામ સ્વરુપે પાર્ટીને આ જીત મળી છે.

(10:04 pm IST)