Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2019

આંકલાવની આસોદર ચોકડીએ એક્ટિવા-બાઈક વચ્ચે સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં એક્ટિવા ચાલકનું સારવાર દરમ્યાન મોત

આંકલાવ: તાલુકાની આસોદર ચોકડીએ એક્ટીવા અને બાઈક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં ઘવાયેલા એક્ટીવા ચાલકનું સારવાર દરમ્યાન ગઈકાલે મધ્યરાત્રીના સુમારે વડોદરાની હોસ્પિટલમાં મોત થતાં આ અંગે પોલીસે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે. 

અકસ્માતની મળતી વિગતો અનુસાર હળદરી ગામના ચંદુભાઈ હિંમતભાઈ ગોહેલ (ઉ. વ. ૬૦) હક ૩જી તારીખના રોજ સમી સાંજના સાડા છ વાગ્યાના સુમારે આસોદર ગામે દૂધ ભરીને એક્ટીવા પર પરત ફરી રહ્યા હતા ત્યારે આસોદર ચોકડી પાસે અજાણ્યા બાઈક ચાલકે ટક્કર મારતાં ચંદુભાઈ ગોહેલને ગંભીર ઈજાઓ પહોંચી હતી જેથી તેમને પ્રાથમિક સારવાર નજીકની હોસ્પિટલમાં આપીને વધુ સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ગઈકાલે રાત્રે તેમનું અવસાન થયું હતુ. 

(6:20 pm IST)