Gujarati News

Gujarati News

News of Monday, 15th April 2019

વડોદરા: બે જર્જરતી મકાન ધસી પડયા: અવરજવર ન હોવાના કારણે જાનહાની અટકી

વડોદરા:શહેરમાં ગાયકવાડી સમયના ૪૦૦ થી વધુ જર્જરિત મકાનો દિવસે દિવસે વધુને વધુ જોખમી બની રહ્યા છે.આજે માર્કેટ વિસ્તારમાં બે મકાનના ભાગ ધસી પડવાના બનાવમાં જાનહાનિ થતાં રહી ગઇ હતી.પિરામિતા રોડ પર માણેકરાવ અખાડા નજીક આવેલા જયેન્દ્ર મિસ્ત્રીના બે મજલી મકાનની ઉપરનો ભાગ આજે બપોરે ધરાશાયી થયો હોવાની જાણ થતાં ફાયર બ્રિગેડના લાશ્કરો દોડી આવ્યા હતા.પ્રાપ્ત માહિતી મુજબ,બાજુના જર્જરિત મકાનની ઉપરનો ભાગ જયેન્દ્રભાઇના મકાન પર પડતાં બંને મકાનના ભાગ ધડાકાભેર તૂટયા હતા.સદ્નશીબે ઉપરોક્ત બંને મકાનમાં કોઇ ભાડૂઆત હાજર નહીં હોઇ તેમજ અવરજવર પણ નહીં હોઇ જાનહાનિ થઇ નહતી.

(5:18 pm IST)