Gujarati News

Gujarati News

News of Saturday, 16th March 2019

નડિયાદના સોડપુરમાં પેપર સારું ન જતા ધો.12ના વિદ્યાર્થીએ ફાસો ખાઈ જીવન ટૂંકાવ્યું

નડિયાદ: તાલુકાના સોડપુર તાબે આવેલા રામસીંગની મુવાડીમાં રહેતાં અને ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહની બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીનું અર્થશાસ્ત્રનું પ્રશ્નપત્ર ખરાબ જતાં ડિપ્રેશનમાં આવી ગયેલા વિદ્યાર્થીએ પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ જીંદગી ટુંકાવી લીધી છે. 

અંગે મળતી માહિતી મુજબ નડિયાદ તાલુકાના સોડપુર તાબે રામસીંગના મુવાડામાં રહેતાં શનાભાઈ લ-મણભાઈ સોઢા પરમારનો ૧૭ વર્ષીય પુત્ર વિશાલ ચાલુ વર્ષે ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં બોર્ડની પરીક્ષા આપી રહ્યો હતો. ગત તારીખ ૧૨ માર્ચને મંગળવારના રોજ અર્થશાસ્ત્રનું પ્રશ્નપત્ર હતું. પ્રશ્નપત્ર આપ્યાં બાદ ઘરે આવેલ વિશાલને પોતાનું પ્રશ્નપત્ર ખરાબ જતાં ચિંતા ઘર કરી ગઈ હતી. ગુમસુમ રહેતાં વિશાલે આજરોજ વહેલી સવારે ૫-૩૦ કલાકે પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈ લેતાં તેનું મોત થયું હતું. જેના પગલે પરિવારજનોમાં દુ:ખની લકીર ખેંચાઈ ગઈ હતી. 

(6:43 pm IST)