Gujarati News

Gujarati News

News of Saturday, 16th March 2019

વ્યાજખોરોના ત્રાસથી કંટાળી ઈડરના હોટલના માલિકે ઘર છોડી દેતા ચકચાર

ઈડર:તાલુકામાં વ્યાજખોરોના ત્રાસનો વધુ એક બનાવ સામે આવ્યો છે. જેમાં વિજયનગર ત્રણ રસ્તા પાસે હોટેલ ચલાવતો માથાસુરનો યુવક બુધવારે બપોરે વ્યાજખોરોના ત્રાસથી ઘર છોડીને જતો રહેતાં ચકચાર મચી ગઈ છે. આ યુવકના રૃમમાંથી એક ચિઠ્ઠી મળી આવ્યા બાદ ગુરૃવારે રાત્રે યુવકની માતાએ ઈડર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે જાણવા જોગ ફરિયાદ નોંધી ગુમ યુવકની શોધખોળ આરંભી છે, સાથે જ વ્યાજે નાણાં ધીરનાર લોકોની પણ તપાસ હાથ ધરી છે.ગુમ યુવકના રૃમમાંથી ચિઠ્ઠી મળી આવી સાબરકાંઠામાં વ્યાજંકવાદે વધુ એક યુવકને ભીડામાં લીધોમૂળ માથાસુરનો અને હાલમાં વિજયનગર ત્રણ રસ્તા પાસે પેરેડાઈઝ હોટલ ચલાવતો યોગેશ નરસિંહભાઈ પટેલ નામનો યુવક બુધવારે બપોરે ઈડર જી.ઈ.બી. નજીકથી એકા-એક ગુમ થઈ ગયો હતો. બુધવારના રોજ ઈડર કામ હોવાનું જણાવી માસીના દિકરાની કારમાં હોટલથી ઈડર સુધી આવેલા યુવક જી.ઈ.બી. પાસે કારમાંથી ઉતર્યા બાદ પરત ઘરે કે હોટલ પર પહોંચ્યો નથી.

(6:42 pm IST)