Gujarati News

Gujarati News

News of Saturday, 16th March 2019

મોડીરાત્રે અમદાવાદના ઓઢવમાં યુવકની કરપીણ હત્યા

અજાણ્યા શખ્શો માથામાં બોથડ પ્રદાર્થ મારીને તીક્ષ્ણ હથિયારથી હુમલો કરીને ફરાર

અમદાવાદ:શહેરના ઓઢવમાં ભુવાલડી પાસે મોડી રાતે યુવકની કરપીણ હત્યા કરીને અજાણ્યા શખ્શો ફરાર થતા ચકચાર મચી છે. કોઈ અજાણ્યા ઈસમ દ્વારા કોઈ કારણસર યુવકની માથામાં બોથડ પદાર્થ મારી તેમજ તીક્ષ્‍ણ હથિયાર વડે હુમલો કરી ઘાતકી હત્યા કરી દેવાઈ  નિકોલ પોલીસે હાલ અજાણ્યા ઈસમ વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.

 આ અંગેની વિગત મુજબ ઓઢવમાં મોતી ભગતની ચાલીમાં રહેતા શેતાનભાઈ વણજારાએ નિકોલ પોલીસમાં હત્યાની ફરિયાદ કરી છે કે તેમની પાડોશમાં વર્ષોથી તેજાજી વણજારા (ઉં.વ.૪૦) રહે છે. તેજાજીનાં માતા-પિતાનું ચાર વર્ષ અગાઉ નિધન થતાં તેઓ એકલવાયું જીવન જીવતા હતા અને છૂટક મજૂરી કરતા હતા. ગઈ કાલે શેતાનભાઈના મામાના દીકરાનો સવારના આઠ વાગ્યે ફોન આવ્યો હતો કે તેજાજી બેભાન હાલતમાં ભુવાલડી મેઇજ પ્રોડક્ટની પાછળ ખાડામાં પડ્યા છે.

હત્યાના સામાચાર સાંભળીને શેતાનભાઈ ઘટનાસ્થળે પર દોડી ગયા હતા. જ્યાં તેજાજી લોહીથી લથપથ હાલતમાં ખાડામાં પડ્યા હતા. તેજાજી પર કોઈ અજાણ્યા ઈસમે માથામાં બોથડ પદાર્થ મારી અને તીક્ષ્‍ણ હથિયાર વડે હુમલો કરતાં તે બેભાન હાલતમાં ખાડામાં પડ્યા હતા, જોકે શેતાનભાઈએ ઇજાગ્રસ્ત તેજાજીને તાત્કા‌િલક ૧૦૮ ઇમર્જન્સી એમ્બ્યુલન્સ મારફત સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું હતું

(1:44 pm IST)