Gujarati News

Gujarati News

News of Sunday, 16th February 2020

સુરતમાં માથાભારે શખ્સ સૂર્યા મરાઠીને તેના જ એક વખતના રાઇટ હેન્ડ હાર્દિકે જ પતાવી નાખ્યોઃ સુર્યા મરાઠી નવરાત્રિમાં જેલમાંથી પેરોલ પર બહાર આવ્યો ત્યારે તેણે હાર્દિકની પત્નીની છેડતી કરી હતી તેથી તેને મારી નાખવાનો પ્લાન કરાયો હતો

સુરત : સુરતના વેડરોડ ખાતે માથાભારે શખ્સ સૂર્યા મરાઠીની ઓફિસમાં ગઇકાલે સાતેક જેટલા ઈસમો ઘૂસી આવ્યા હતા. આ શખ્સોએ તલવાર અને ચપ્પુના ઘા મારી સૂર્યા મરાઠીનું ઢીમ ઢાળી દીધું હતું.જોકે બીજી બાજુ સૂર્યા ની હત્યા કરવા આવેલ તેનો એક સમય નો સાથી હત્યા કરી ભાગી ગયા બાદ સૂર્યા ગેંગ દ્વારા તેની પણ કરપીણ હત્યા કરવામાં આવી હતી. આ મામલે પોલીસે CCTV ફૂટેજના આધારે બે શખ્સોની ધરપકડ કરી છે. સૂર્યા મરાઠીને તેના જ એક વખતના રાઇટ હેન્ડ હાર્દિકે પતાવી નાખ્યો હતો.

સુરતના વેડરોડ વિસ્તારમાં આજે એક સાથે બે હત્યાની ઘટના બનતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. જોકે આ હત્યાને લઇને સમગ્ર વિસ્તારમાં ભારે ચર્ચા પણ ઉભી થઇ હતી. વેડરોડ વિસ્તારમાં રહેતા માથા ભારે ની છાપ ધરાવતો સૂર્યા મરાઠી આજે તેની ઓફિસમાં બેઠો હતો ત્યારે તેનો એક સમય નો જમણો હાથ ગણાતો હાર્દિક તેના 6 જેટલા સાગરિતો સાથે આવીને સૂર્યાને તેની ઓફિસમાં ઉપર છાપરી 50 જેટલા ઘાવ મારીને તેની હત્યા કરી નાખી હતી.

આ મામલે પોલીસે ઝડપેલા બે આરોપીની સીસીટીવી દ્વારા ઓળખ કરીને સતીશ અને રાહુલ નામના બે લોકો નીધરપક્ડ કરી છે. તેમણે પોલીસને જણાવ્યું કે સુર્યા મરાઠી નવરાત્રિમાં જેલમાંથી પેરોલ પર બહાર આવ્યો ત્યારે તેણે હાર્દિકની પત્નીની છેડતી કરી હતી તેથી તેને મારી નાખવાનો પ્લાન કર્યો હતો.

સુર્યા મરાઠી પર હુમલો કરવા આવેલો હાર્કિદ ભાગતાની સાથે તેની ઓફીસથી બે કિલોમીટર દૂર સૂર્યાના માણસોના હાથે ઝડપાયો હતો ત્યા તેને પાડીને તેના પર ચપ્પુથી હુમલો કર્યો હતો જેને લઇને હાર્દિકનું પણ મોત થઇ ગયું હતું. જોકે ઘટનાની જાણકારી મળતા ઉચ્ચ અધિકારી સાથે ક્રાઇમ બ્રાન્ચ ની ટિમ પણ જગ્યા પર આવીને તપાસ શરુ કરી હતી. (સુર્યા મરાઠી અને તેનું ખૂન કરનાર હાર્દિક.)

અગાઉ ચર્ચા હતી કે નુ બારૈયા એ કરોડ રૂપિયાની સોપારી સૂર્યાને મનુ ડાહ્યાની હત્યા કરવા આપી હતી પણ હત્યા બાદ જેલમાં ગયેલા સૂર્યાને રૂપિયા આપ્યા ન હતા અને જયારે જેલમાંથી બહાર આવિયા બાદ રૂપિયાની ઉઘરાણી કરશે તેને લઈએં કનુ બારૈયા દ્વારા હાર્દિક સાથે મળીને સૂર્યાની હત્યા કરાયાનું વિગતો સામે આવતા પોલીસે તે દિશામાં પણ તપાસ શરુ કરી હતી

સુર્યા મરાઠીના મોતના સમાચાર બાદ સુરતમાં તેના વિરોધીઓએ ફટાકડાં ફોડ્યા હતા અને કેક કાપીને ઉજવણી કરી હતી. સુર્યા મરાઠીએ જે મનુ બારૈયાનું ખૂન કર્યુ હતું તેના દીકરાને સુર્યા લખેલી કેક ખવડાવી અને ઉજવણી કરવામાં આવી હતી.

કોણ છે સુર્યા મરાઠી? કુખ્યાત બની ગયેલો સૂર્યો મરાઠી જમીન દલાલીની સાથોસાથ જમીનોના પ્રકરણમાં ધાકધમકીના જોરે ગેંગ ઓપરેટ કરી રહ્યો હતો. અંખડ આનંદ કોલેજ સામે આવેલી ત્રિભુવન સોસાયટી પાસે રહેતા સૂર્યા મરાઠી પર અગાઉ પલિયા બારૈયા નામના ગેંગસ્ટરે ફાયરિંગ કરાવ્યું હતું, જેમાં સૂર્યો માંડ માંડ બચી ગયો હતો. તેના ઘર પાસે તહેવારો દરમિયાન મારામારી કર્યા બાદ સૂર્યો લાઇમ લાઇટમાં આવ્યો હતો.

ચોકબજાર, ખટોદરા સહિતના પોલીસ મથકોમાં તેની સામે મારામારી અને ફાયરિંગ કરવાના ગુના નોંધાયા છે. બાબુ ગાવઠી, આદિત્ય ઉર્ફે આબો, અક્ષય ઉર્ફે અકી નામના સાગરીતો તેના ખાસ હોવાનું માનવામાં આવે છે.

(11:50 am IST)