Gujarati News

Gujarati News

News of Saturday, 16th February 2019

અમદાવાદમાં ચાવાળાની અનોખી શ્રધ્ધાંજલિ :આખો દિવસ ચાની કીટલી ચાલુ રાખીને નફો શહીદોના પરિવારને આપશે

 

અમદાવાદમાં એક ચાવાળાએ પુલવામામાં શહીદ થયેલા જવાનોને અલગ રીતે શ્રધ્ધાંજલિ આપી છે. ચાવાળા લલિત ભાઈએ આખો દિવસ ચાની કિટલી ચાલુ રાખશે અને તેને થતો નફો તે શહીદોનાં પરિવારને આપશે.

  લલિતભાઇએ જણાવ્યું હતું કે, 'આજનાાં એક દિવસ માટે મને જે કંઇ પણ નફો થશે તે હું શહીદોનાં પરિવારને મદદ કરીશ. મને તેમની પર ગર્વ છે. હું મદદથી શહીદોનાં પરિવારને જે કંઇ પણ મદદ મળશે તેનાથી મને ખુશી મળશે. હું અત્યારે તો આજનો નફો મારી બેંકનાં ખાતામાં જમા કરાવીશ પછી શહીદનાં પરિવારને ચેક દ્વારા આપીશ.

  લલિતભાઈએ વધુમાં જણાવતા કહ્યું કે, 'આટલી ચા રોજ નથી વેચાતી પરંતુ આજે વધારે વેચાઇ છે. લોકોએ પણ વિચારને વધાવ્યો છે.'ચાવાળાની આસપાસનાં લોકો પણ તેને મદદ કરી રહ્યાં હતાં.

(10:13 pm IST)