Gujarati News

Gujarati News

News of Saturday, 16th February 2019

સુરતના અડાજણમાં એનઆઇઆર પતિ સહીત સાસરિયાએ પુત્રવધુ પાસેથી 50 લાખની દહેજની માંગણી કરી: ઘરમાંથી કાઢી મુકતા ફરિયાદ

સુરત: શહેરના અડાજણમાં પિયરના આશરે રહેતી પરિણીતાને એનઆરઆઇ પતિ અને સાસરીયાએ ઓસ્ટ્રેલીયા જવા માટે રૂા.૫૦ લાખ માંગીને ઘરમાંથી કાઢી મુકતા મહિલા પોલીસ મથકે ફરિયાદ થઇ છે. ભરુચના રાજપીપળાના સાસરીયાઓએ પરિણીતાને ઘરે આવીશ તો જીવતી સળગાવ દઇશું તેવી ધમકી આપીને તેની પાસે સ્ટેમ્પ પેપર ઉપર 'હું આત્મહત્યા કરું છું અને તેને છુટાછેડા આપું છું ' તેવું લખાણ પણ કરાવી લેવાયું હતું.

માહિતી મુજબ રાજપીપળાના રહેવાસી અને હાલ ઓસ્ટ્રેલીયા રહેતા અન પીત્ઝા શોપમાં પ્રશાંત જયંતિભાઇ પટેલ સાથે સુરતના અડાજણમાં રહેતી પચ્ચીસ વર્ષીય યુવતિ સાથે બે વર્ષ પહેલા લગ્ન થયા હતા. લગ્ન બાદ પતિ ઓસ્ટ્રેલીયા ગયા બાદ રાજપીપળા દોલતબજાર માતૃછાયામાં રહેતા સાસરીયા સાસુ ચંપાબેન, સસરા જયંતિભાઇ, દિયર વિકાસ, દેરાણી હેમાબેન (રહેતા.વડોદરા), એનઆરઆઇ નણંદ તૃપ્તીબેન અને નણદોઇ મિતુલભાઇ ચાવડા (મૂળ વડોદરા, હાલ આફ્રિકા) પરિણીતાને માનસિક ત્રાસ આપવાું શરુ કર્યું હતું.

 

 

(5:47 pm IST)