Gujarati News

Gujarati News

News of Saturday, 16th February 2019

અમદાવાદમાં કોંગ્રેસ દ્વારા કેન્ડલ માર્ચ :ગાંધી આશ્રમમાં પ્રાર્થનાસભા :શહીદોને શ્રદ્ધાંજલિ આપી

કોંગ્રેસ દ્વારા ગાંધી આશ્રમથી આરટીઓ સુધીની કેન્ડલ માર્ચ:પાકિસ્તાન મુર્દાબાદના નારા લાગ્યા

 

અમદાવાદ ;જમ્મુ કાશ્મીરના પુલવામાં સીઆરપીએફના કાફલા પર આતંકી હુમલાનો દેશભરમાં વિરોધ થયો છે અને લોકોમાં ભારે આક્રોશ જોવા મળે છે રાજ્યમાં દરેક જિલ્લાના લોકોમાં આક્રંદ છે. અમદાવાદ ખાતે યુથ કોંગ્રેસના નેતાઓ કેન્ડલ સાથે માર્ચ કાઢી છે. કેન્ડલ માર્ચમાં કોંગ્રેસના નેતાઓ પણ જોડાયા હતા. સાથે જોડાયેલી જનતાએ પાકિસ્તાન મૂર્દાબાદના નારા લાગ્યા હતા.

 અમદાવાદના ગાંધી આશ્રમમાં યોજાયેલી પ્રાર્થના સભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણી, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહિત કોંગ્રેસના નેતાઓ, ધારાસભ્યો અને કાર્યકરો હાજર રહ્યા. તેમણે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. સાથે કોંગ્રેસ દ્વારા ગાંધી આશ્રમથી આરટીઓ સુધીની કેન્ડલ માર્ચનું આયોજન કરાયું.

(12:48 am IST)