Gujarati News

Gujarati News

News of Saturday, 16th February 2019

આંતકી હુમલામાં શહીદ થયેલ જવાનોને શ્રધ્ધાંજલિ આપવા અંકલેશ્વરના વિવિધ વિસ્તારોમાં કેન્ડલ માર્ચ

 

અંકલેશ્વર :જમ્મુ-કાશ્મીરના પુલવામાં થયેલ આંતકવાદી હુમલામાં શહીદ થયેલા જવાનોની શ્રધ્ધાંજલિ આપવા અંકલેશ્વર તાલુકામાં અલગ અલગ વિસ્તારોમાં કેન્ડલ માર્ચ યોજાઇ હતી. જેમાં અંકલેશ્વરની જીઆઇડીસી ખાતે સરદાર પાર્ક થી જોગર્સ પાર્ક સુધી મોટા પ્રમાણ સ્થાનિક લોકોએ એકઠા થઈ રેલી કાઢીકેન્ડલ માર્ચયોજી શ્રધ્ધાંજલિ આપી હતી.

બીજી તરફ અંકલેશ્વર તાલુકામાં જીનવાલા સ્કૂલ ખાતેથી ત્રણ રસ્તા સર્કલ સુધી જમ્મુ-કાશ્મીરના પુલવામાં થયેલ આંતકવાદી હુમલામાં શહીદ થયેલા જવાનોની શ્રધ્ધાંજલિ આપવા માટે અંકલેશ્વર શહેરના લોકોએ કેન્ડલ રેલી કાઢી શ્રધ્ધાંજલિ અર્પીત કરી હતી.

(1:01 am IST)