Gujarati News

Gujarati News

News of Friday, 15th February 2019

બોડેલીમાં શહીદોને શ્રદ્ધાંજલિ આપવા ભાજપા અને કોંગ્રેસ દ્વારા સંયુક્તરીતે કેન્ડલમાર્ચ યોજી

આતંકવાદ મુર્દાબાદ,પાકિસ્તાન મુર્દાબાદ,શહિદ જવાન અમર રહો અને ભારત માતાકી જયના ગગનભેદી નારા લાગ્યા

 

છોટાઉદેપુર જિલ્લામાં બોડેલીના અલીપુરા ચાર રસ્તા પર ભા..પા.તેમજ કોંગ્રેસ દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

બોડેલી ખાતે અલીપુરા ચાર રસ્તા પર ભા..પા. તેમજ કોંગ્રેસ દ્વારા સંયુક્ત રીતે કેન્ડલ સાથેઆતંકવાદ મુર્દાબાદ , પાકિસ્તાન મુર્દાબાદ, શહિદ જવાન અમર રહો..અને  ભારત માતાકી જય નાં ગગનભેદી નારા સાથે મૌન પાડી શહીદ થયેલા ૪૪ જાબાંઝ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી ભા..પા. અને કોંગ્રેસના અગ્રણીઓએ આતંકવાદને પાલવી રહેલા પાડોશી પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવા સરહદ પરના જવાનોને વાતો નહીં પણ ગોળી ચલાવી જવાબ આપવા કેન્દ્ર સરકાર છૂટ આપે તેવી લાગણી વ્યક્ત કરી સરકારને વિનંતી કરી હતી.

(1:00 am IST)