Gujarati News

Gujarati News

News of Saturday, 16th January 2021

ઓલપાડમાં ઘરમાંથી ગગળું કપાયેલ હાલતમાં ખેડૂતની લાશ મળી : હત્યા કે આત્મહત્યા ? :પોલીસ તપાસ શરૂ

માતા-પિતાનાં અવસાન બાદ અલગ રહીને ખેતીવાડી કરતા હતા:દારૂ છોડ્યા બાદ માનસિક રીતે અસ્તવ્યસ્ત રહેતા હતા

સુરત જિલ્લામાં આવેલા ઓલપાડમાં એક ખેડૂત વહેલી સવારે ઘરમાંથી ગળું કપાયેલી હાલતમાં મળી આવતા તાત્કાલિક 108 ની મદદથી સિવિલ હોસ્પિટલમાં લઇ જવાયા હતા. તેઓ ઘરમાંથી ગળું કપાયેલી હાલતમાં મળતા આત્મહત્યા કે હત્યાનો પ્રયાસ? તેને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે.

 આ અંગે મળતી વિગત મુજબ ઓલપાડ તાલુકાનાં લવાછા ગામે રહેતા નટુભાઈ નરોતમભાઈ પટેલ માતા-પિતાનાં અવસાન બાદ અલગ રહીને ખેતીવાડી કરતા હતા. મકરસંક્રાંતિના દિવસે ખેતરેથી પરત આવ્યા બાદ તેઓએ શુક્રવારે બહેનનાં ઘરે જવાની વાત પણ કરી હતી. જોકે, આજે સવારે લગભગ 4 વાગે તેઓ ઘરમાં જમીન પર લોહીના ખાબોચિયામાં મળી આવતા અનેક પ્રશ્નો ઉભા થયા છે. જોકે, નટુભાઈ પટેલ અપરિણીત હોવાનું અને પરિવારથી જુદા રહીને ખેતીવાડી કરતા હોવાનું જાણવા મળ્યું છે

 . નટુભાઈ પટેલ ભૂરકાળમાં દારૂનાં બંધાણી હોવાનું અને દારૂ છોડ્યા બાદ માનસિક રીતે અસ્તવ્યસ્ત રહેતા હોવાનું એમના પિતરાઈ ભાઈએ જણાવ્યું હતું. જોકે, હાલમાં નાનુભાઈની સારવાર ચાલી રહી છે, ત્યારે બીજી બાજુ એમને જાતે ગળું કાપ્યું છે કે અન્ય કોઈએ પ્રયાસ કર્યો છે? એ તપાસનો વિષય બન્યો છે.

(3:05 pm IST)