Gujarati News

Gujarati News

News of Wednesday, 16th January 2019

દહેજના મામલે પરિણીતા પર ત્રાસ ગુજારી આણંદના સાસરિયાએ ત્રણ બાળકો સાથે કાઢી મુકતા પોલીસ ફરિયાદ

આણંદ:શહેરના તુલસી ગરનાળા પાસે આવેલી સહયોગ સોસાયટીમાં રહેતી એક પરિણીતા પર દહેજના મામલે શારીરિક તેમજ માનસિક ત્રાસ ગુજારીને બે બાળકો સાથે કાઢી મુકતાં આ અંગે ભાલેજ પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે. 

મળતી વિગતો અનુસાર ભાલેજ ખાતે રહેતી દિપ્તીબેનના લગ્ન સને ૨૦૧૦માં સ્વપ્નીલ ગાયેસભાઈ ક્રિશ્ચિયન સાથે થયા હતા. સુખી લગ્નજીવનના ફળસ્વરૂપે બે સંતાનપ્રાપ્તી થઈ હતી. ત્યારબાદ સાસુ અલકાબેન અને સસરા ગાયેસભાઈ દ્વારા તારા પીયરમાંથી કશુય આપ્યુ નથી, અમારી સમાજમાં આબરૂ ગઈ છે તેમ જણાવીને તેણી ઉપર શારીરીક તેમજ માનસિક ત્રાસ ગુજારવાનો ચાલુ કરી દીધો હતો. પતિ દારૂ પીવાની ટેવવાળો હોય તેને સાસુ સસરા અને દિયર સોમીલ દ્વારા ચઢવણી કરવામાં આવતાં તેણે દારૂ પીને આવી પરિણીતા અને સંતાનોને મારવાનું ચાલુ કરી દીધું હતુ. 

દરમ્યાન પતિએ છુટાછેડા આપી દેવા માટે દબાણ કરીને તેણીને મારઝુડ કરી બે સંતાનો સાથે કાઢી મુકી હતી. આ અંગે દિપ્તીબેને ફરિયાદ આપતાં પોલીસે પતિ, સાસુ-સસરા અને દિયર વિરૂધ્ધ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી છે.

(5:18 pm IST)