Gujarati News

Gujarati News

News of Wednesday, 16th January 2019

નડિયાદના ફતેપુરામાં ભરબપોરે ચોરીને અંજામ આપનાર બે શખ્સોની મુદામાલ સાથે ધરપકડ

નડિયાદ: તાલુકાના રાઠોડપુરા તાબે ફતેપુરામાં ભરબપોરે મકાનમાંથી તસ્કરો સોના-ચાંદીના દાગીના ચોરી ગયા હતા. ચોરી થયાના ત્રણ દિવસમાં ચકલાસી પોલીસે ફતેપુરા રોડ પરથી બે શખ્સોને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ચોરીનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી છે. 

ચકલાસી પોલીસ મકરસંક્રાતિના દિવસે પેટ્રોલીગમાં નીકળી હતી. આ દરમિયાન માહિતી મળેલ કે ચકલાસી પોલીસમાં નોંધાયેલ ચોરીના ગુનામાં ગયેલ મુદ્દામાલ સાથે ૨ શખ્સો ઉત્તરસંડા નામદેવ મહાદેવ રોડ ઉપરથી ફતેપુરા તરફ આવી રહ્યાં છે. જેથી ચકલાસી પોલીસે વોચ ગોઠવી હતી. આ દરમિયાન ફતેપુરા રોડ ઉપર બે ઈસમો ચાલતા આવતા હોઈ તેમની અટક કરી પૂછપરછ કરતા સુનીલભાઈ નટુભાઈ પરમાર તથા સુનીલ બુધાભાઈ પરમાર (બંને રહે. ફતેપુરા તા. નડિયાદ) હોવાનું જણાવ્યું હતું. 

(5:14 pm IST)