Gujarati News

Gujarati News

News of Wednesday, 16th January 2019

બાવળા-ચાંગોદર રોડ પર ત્રિપલ અકસ્માત: બે મહિલાએ ઘટનાસ્થળેજ દમ તોડ્યા: 9ને ગંભીર ઇજા

અમદાવાદ: શહેરમાં બાવળા ચાંગોદર રોડ પર ત્રણ કાર  વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા બે મહિલાના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે ૯ જણા ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઉતરાયણના બીજા દિવસે જ બનેલા આ બનાવને પગલે મૃતકોના પરિવારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.

આ બનાવની વિગત મુજબ ૧૫ જાન્યુઆરીના રોજ સવારે ૭ વાગ્યે એસેન્ટ કાર અમદાવાદથી રાજકોટ તરફ જઈ રહી હતી. દરમિયાન ચાચરાવાડી વાસણા ગામના પાટીયા નજીક અચાનક કારનું ટાયર ફાટયું હતું. જેને પગલે કાર રોંગ સાઈડમાં ફંટાઈ ગઈ હતી અને સામેથી આવી રહેલી ઈકો અને વેગનઆર ગાડીઓને અડફેટે લીધી હતી. 

(5:06 pm IST)