Gujarati News

Gujarati News

News of Wednesday, 16th January 2019

શ્રી સત્યસાઇ હાર્ટ હોસ્પિટલ,અમદાવાદ એ ભારતમાં માનવસેવાનું સૌથી મોટું મંદિર છેઃ અર્જુન મોઢવાડિયા

અમદાવાદ : શ્રી સત્યસાઇ હાર્ટ હોસ્પિટલ, અમદાવાદને ચોતરફથી સહકાર અને શુભેચ્છા મળી રહ્યા છે. આ રીતે શુભેચ્છા મુલાકાત લેનારાઓમાં વધુ એક મહાનુભાવનો ઉમેરો થયો છે. તાજેતરમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નેતા શ્રી અર્જુનભાઇ મોઢવાડિયાએ અમદાવાદ-ધોળકા રોડ પર આવેલી શ્રી સત્યસાંઇ હાર્ટ હોસ્પિટલ, કાસિન્દ્રાની મુલાકાત લીધી હતી. આ મુલાકાતમાં તેમણે ર કલાકથી વધુ સમય હોસ્પિટલમાં ગાળ્યો હતો. આ લાંબા સમયગાળા દરમ્યાન તેમણે વિવિધ રાજ્યોના દર્દીઓ સાથે વાતચીત કરી હતી અને તેમણે ઝડપથી સ્વસ્થ થવા માટે શુભેચ્છાઓ પણ આપી હતી. આ ઉપરાંત અર્જુન મોઢવાડિયાએ હોસ્પિટલના વિવિધ વિભાગોની મુલાકાત પણ લીધી હતી અને આટલા ઓછા સમયમાં આ હોસ્પિટલનું ભગીરથ કાર્ય પુરૂ કરવા બદલ સંસ્થાના ટ્રસ્ટીઓને અભિનંદન પણ આપ્યા હતા. આ હોસ્પિટલની કાર્યપદ્ધતિ અને અત્યારસુધીના તેના સુદીર્ધ સેવાકાર્યને બિરદાવતા તેમણે જણાવ્યું હતું કે અમદાવાદની આ હોસ્પિટલ એ ભારતમાં માનવસેવાનું સૌથી મોટું મંદિર છે.

(3:42 pm IST)