Gujarati News

Gujarati News

News of Wednesday, 16th January 2019

નવસારી જિલ્લામાં ઉતરાયણ પર્વે 97 પશુ-પક્ષીઓને પતંગની દોરીથી ઇજા:સારવાર કરી નવજીવન આપ્યું

ભગવાન મહાવીર કરૂણા ટ્રસ્ટ અને અન્ય જીવદયા પ્રેમી સંસ્થાઓ દ્વારા સારવાર

 

નવસારી જિલ્લામાં ઉત્તરાયણના પર્વમાં 97 પશુ-પક્ષીઓને પતંગ દોરીથી ઇજા પહોંચી હતી  નવસારી સામાજિક વનીકરણ વિભાગ અને સામાજિક સંસ્થાઓની ટીમો દ્વારા પશુપક્ષીઓની સારવાર કરીને તેમને નવજીવન આપવામાં આવ્યુ હતું.

  જોકે કમનસીબે સારવાર દરમિયાન એક વિદેશી બગલો અને બે કબૂતરની જીવનની ડોર કપાઇ ગઇ હતી. નવસારીના ભગવાન મહાવીર કરૂણા ટ્રસ્ટ અને અન્ય જીવદયા પ્રેમી સંસ્થાઓ દ્વારા ત્રણ દિવસોમાં 87 પક્ષીઓ અને 1 શ્વાનના બચ્ચાને સારવાર આપવામાં આવી હતી. જેમાં સૌથી વધુ કબુતરો હતા.

(10:00 pm IST)