Gujarati News

Gujarati News

News of Wednesday, 16th January 2019

અસરગ્રસ્ત વિસ્તારોમાં ખેતી પાકોને થયેલ નુકશાનીની સહાય મેળવવા અરજીઓ ૩૧મી સુધી સ્વીકારાશે

         રાજકોટઃ રાજયના દુષ્કાળગ્રસ્ત પ૧ તાલુકાઓમાં ખેતી પાકોને  થયેલ નુકશાન  સંદર્ભે સંબંધિત ખેડૂતો પાસેથી SDRF  અંતર્ગત ક્રોપ ઇનપુટ સબસીડી મેળવવા માટેની  અરજીઓ સ્વીકારવાની મુદત તા. ૧પ/૦૧/ર૦૧૯ની નકકી કરવામા આવેલ હતી.

         દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં કોઇ અરજદારશ્રીની અરજી રહી જવા ન પામે તે માટે આવી નુકશાની સબબની અરજીઓ તા. ૩૧/૦૧/ર૦૧૯ સુધી સ્વીકારવા સરકારએ નિર્ણય કરેલ છે.

આ બાબતે નકકી થયેલ ' કટ ઓફ ડેટ ' સંબંધે આપની કક્ષાએથી આપના જિલ્લામાં જરૂરી પ્રસિદ્ધી થવા તથા તમામ અરજદારો પાસેથી અરજી ફોર્મ મેળવી ત્યારબાદ ચૂકવણી સંબંધી જરૂરી કાર્યવાહી સત્વરે કરવી તેમ જણાવાયું છે.

(11:11 pm IST)