Gujarati News

Gujarati News

News of Wednesday, 16th January 2019

સુરતના ઓલપાડના સાંધીએર ગામમાં ઘેટાં-બકરાના ટપોટપ મોત થતા ચકચાર

પશુ ચિકિત્સકની ટીમ ઘટના સ્થળે પહોંચી :પાણીના સેમ્પલ લઈને લેબમાં મોકલ્યા

સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના સાંધીએર ગામમાં ટપોટપ ઘેટાં-બકરાંના મોત થતાં ચકચાર મચી છે. સાંધીયેર ગામની સીમમાં પાણી પીધા બાદ મોટી સંખ્યામાં ઘેટાં બકરાંના મોત થયાંની જાણ થતા ઓલપાડના પશુ ચિકિત્સકની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. અને પાણીના સેમ્પલ લઈ તપાસ હાથ ધરી છે

 પાણીના સેમ્પલનો રિપોર્ટ આવ્યા બાદ મોતનું સાચું કારણ સામે આવશે. જોકે હાલતો મોટી સંખ્યામાં ઘેટાં-બકરાંનાં મોતથી તેના પાલક પરિવારમાં ચિંતા ફેલાઈ છે

(7:17 pm IST)