Gujarati News

Gujarati News

News of Tuesday, 16th January 2018

ડો.તોગડીયાના આક્ષેપો અંગે તપાસ કરો, હિંસાની રાજનીતિ બંધ થવી જોઇએઃ અશોક ગેહલોત-ભરતસિંહ સોલંકી

અમદાવાદ તા.૧૬ : ડો.તોગડીયા પ્રકરણમાં કોંગ્રેસ પણ તપાસની માંગણી કરતા રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે.

ડો.પ્રવિણ તોગડિયાએ એન્કાઉન્ટરની વ્યકત કરેલી આશંકાને લઈને કોંગ્રેસે સરકાર પર પ્રહાર કર્યો છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ તોગડિયાના આક્ષેપો અંગે તપાસ થવી જોઈએ તેવી માંગ કરી છે. તો બીજી તરફ પ્રદેશ કોંગ્રેસ પ્રભારી અશોક ગેહલોતે પણ આ દ્યટનાને ગંભીર ગણીને હિંસાની રાજનીતિ બંધ થવી જોઈએ.

અત્રે ઉલ્લેખનીય છે કે, તોગડિયા જે હોસ્પિટલમાં સારવાર માટે દાખલ છે ત્યાં તેમને મળવા માટે સામાજિક આગેવાનોની કતાર લાગી છે. તેવી સ્થિતિમાં હવે કોંગ્રેસે ૫ણ ઝં૫લાવીને સરકાર ઉ૫ર આકરા પ્રહારો કર્યા હતા.

(4:40 pm IST)