Gujarati News

Gujarati News

News of Tuesday, 15th December 2020

નાંદોદ તાલુકાના ઓરી ગામની દુકાને ગયેલી યુવતીનો નર્મદા નદીના ઓવારેથી મૃતદેહ મળતા અનેક શંકા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના ઓરી ગામની યુવતીનો ગામની નર્મદા નદી કિનારે થી મૃતદેહ મળી આવતા અનેક તર્ક વિતર્ક ચાલી રહ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ઓરી નવીનગરીમાં રહેતી ઋષિકા બેન ભાયાભાઈ વસાવા(ઉ.વ.18) પોતાના ધરેથી ગામમાં દુકાને જાઉં છુ તેમ કહી નીકળી હતી જે ધરે પરત નહીં આવેતા પરિવારે શોધખોળ કરતા ઋષિકાબેનની ઓરી ગામની નર્મદા નદીના ઓવારા પાસે પાણીમાં ડુબી જતા મૃત હાલતમાં મળી આવતા ગામમાં અનેક તર્ક વિતર્ક વહેતા થયા હતા ત્યારે આ યુવતીની હત્યા થઈ છે કે તેણે આત્મહત્યા કરી હશે એ બાબતે રહસ્ય હજુ અકબંધ હોય હાલ પોલીસે અકસ્માત મોત દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

(10:28 pm IST)