Gujarati News

Gujarati News

News of Tuesday, 15th December 2020

રાજ્યમાં કોરોના ધીમો પડ્યો :વધુ 1,236 દર્દીઓ સ્વસ્થ થયા: નવા 1,110 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 11 લોકોના મોત :મૃત્યુઆંક 4193 થયો : કુલ 2,12,839 લોકોએ કોરોનાને મ્હાત આપી : કુલ કેસનો આંક 2,29,913 થયો

રાજ્યમાં આજે સૌથી વધુ અમદાવાદમાં 239 કેસ,સુરતમાં 167 કેસ,વડોદરામાં 143 કેસ,રાજકોટમાં 124 કેસ, ગાંધીનગરમાં 51 કેસ, મહેસાણામાં 44 કેસ, કચ્છમાં 35 કેસ,જામનગરમાં 33 કેસ,અમરેલી, જૂનાગઢ અને ખેડામાં 23 -23 કેસ ,ભરૂચ અને પંચમહાલમાં 22-22 કેસ નોંધાયા :રાજ્યમાં હાલમાં 12,881 એક્ટિવ કેસ

અમદાવાદ : અમદાવાદમાં કોરોના વિસ્ફોટ થયાની સાથે રાજ્યમાં કોરોનાના નવા કેસમાં ઝડપી વધારો થઇ રહયો છે, દિવાળી પહેલા કોરોના વાયરસ ધીમો પડયો  હતો નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો થઇ રહ્યો હતો તેવામાં છેલ્લા કેટલાક દિવસોથી અચાનક નવા કેસમાં વધારો થઇ રહ્યો છે ત્યારે આજે રાજ્યમાં આજે 1,110 નવા કેસ નોંધાતા ભારે ચિતાની લાગણી પ્રસરી છે  જોકે આજે વધુ 1,236 દર્દીઓ રિકવર થયા છે

 રાજ્યમાં આજે કોરોનાના નવા 1,110 પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે વધુ 1236 દર્દીઓ સ્વસ્થ થયા છે રાજ્યમાં કોરોના કેસનો કુલ કેસની સંખ્યા 2,29,913 થઇ છે જયારે આજે વધુ 1236 દર્દીઓ સાજા થતા અત્યાર સુધીમાં કુલ 2,12,839 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે આજે રાજ્યમાં વધુ 11 લોકોનો કોરોનાએ ભોગ લીધો છે આ સાથે રાજ્યમાં મૃત્યુઆંક વધીને 4193 થયો છે  રાજ્યમાં રિકવરી રેટ 92,57 થયો છે

  રાજ્યમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 12,881 છે, જેમાંથી વેન્ટીલેટર પર 61 દર્દીઓ છે જ્યારે 12,820 દર્દીની હાલ સ્ટેબલ છે.  છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં 54,883 ટેસ્ટ થયા હતા અત્યાર સુધીમાં 87,80,266 ટેસ્ટ કરવામાં આવ્યા છે

  રાજ્યમાં આજે કોરોનાથી કુલ 11 લોકોના મોત થયા છે અમદાવાદ કોર્પોરેશનમાં 8, સુરત કોર્પોરેશનમાં 2 અને મહેસાણામાં 1 મળીને કુલ 11  લોકોના મોત થયા છે

 રાજ્યમાં આજે નોંધાયેલા 1110 નવા કેસમા સૌથી વધુ અમદાવાદમાં 239 કેસ,સુરતમાં 167 કેસ,વડોદરામાં 143 કેસ,રાજકોટમાં 124 કેસ, ગાંધીનગરમાં 51 કેસ, મહેસાણામાં 44 કેસ, કચ્છમાં 35 કેસ,જામનગરમાં 33 કેસ,અમરેલી, જૂનાગઢ  અને ખેડામાં 23 -23 કેસ ,ભરૂચ અને પંચમહાલમાં 22-22 કેસ નોંધાયા છે

 

(7:43 pm IST)