Gujarati News

Gujarati News

News of Monday, 15th November 2021

તારાપુરના મોરજ રોડ પર તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવ્યું : દાગીના, રોકડા સહીત 81,700ના મતાની ચોરી

મકાન માલિક પરિવારના સભ્યો સાથે મહિયારી ગામે બહેનોને મળવા ગયાઅને તસ્કરોએ તેમના બંધ મકાનમાં હાથફેરો કર્યો

 

આણંદ જિલ્લાના તારાપુરના  મોરજ રોડ પર આવેલા વાત્સ્લય બંગ્લોઝમાં ત્રાટકેલા તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવ્યું હતું અને મકાનમાંથી દાગીના, રોકડા મળી કુલ રૂ.81 હજાર 700ના મુદ્દામાલની સાફ સુફી કરી પલાયન થઇ ગયાં હતાં. મકાન માલિક પરિવારના સભ્યો સાથે મહિયારી ગામે બહેનોને મળવા ગયા હતા, આ તકનો લાભ ઉઠાવી તસ્કરોએ તેમના બંધ મકાનમાં હાથફેરો કર્યો હતો.

(12:31 pm IST)